અબૂ ધાબીમાં પહેલા હિંદૂ મંદિરના 'શિલાન્યાસ વિધી'નું આયોજન કરવામાં આવ્યુ છે. આ સમારોહમાં સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજ પણ ઉપસ્થિતિ છે અને સાથે જ મંદિરનુ નિર્માણ કરનારા ધાર્મિક અને સામાજિક સંગઠનના લોકો પણ શામેલ થશે.
શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહયાન, વિદેશ મામલાઓના મંત્રી અને આંતરરાષ્ટ્રીય સહયોગ અને શેખ નાહન મુબારક અલ નાહયાન, સહિષ્ણુતા મંત્રી, દુનિયાભરમાં સામાજિક તથા આધ્યાત્મિક નેતાઓ આ ખાસ અવસરમાં ભાગ લશે. તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2018માં પોતાના પ્રવાસ દરમિયાન આ મંદિરની આધારશિલા રાખી હતી, ઉલ્લેખનીય છે કે કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે મંદિરનુ કામ ક્યારે પૂરુ થશે પરંતુ અમુક વર્ષ ચોક્કસથી લાગશે.
UAEમાં લગભગ ત્યાંની વસ્તીના 30% ભાગ ભારતીયોઓનો એટલે કે 26 લાખ ભારતીયો છે. કહેવાઇ રહ્યુ છે કે, આ મંદિરનું ફંડિગ પ્રાઇવેટ તરીકે ઉઘરાવવામાં આવ્યુ છે. મંદિરનુ નિર્માણ અબૂ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા ભેટમાં આપેલી 55000 વર્ગ મીટર જમીન પર કરવામાં આવ્યુ છે. આ સાથે જ UAE સરકાર આટલી જ જમીન મંદિર પરિસરમાં પાર્કિંગ સુવિધાના નિર્માણ માટે આપી છે.
આ મંદિર દિલ્હીના અક્ષરધામ મંદિર અને બીજુ ન્યૂજર્સી USમાં નિર્માણાધીનની એક બિલ્ડિંગની જેમ તૈયાર કરવામાં આવ્યુ છે. 2015માં મોદીને અબૂ ધાબીનાો પ્રવાસ કર્યા પછી ભારત-UAEના સંબંધો વધારે મજબૂત થયા છે.
ઉલ્લેખનીય છે કે, વિશાળ હિંદુ મંદિરનો શિલાન્યાસ મહંત સ્વામીના હસ્ત થશે ત્યારે મહંત સ્વામી 11 દિવસ UAEની ધર્મયાત્રા પર પહોંચ્યા હતા, જેમાં UAE સરકાર દ્વારા ખાસ આગતા-સ્વાગતા કરવામાં આવી હતી.