કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ડાયાબિટીસના દર્દીઓમાં કોરોનાનો ખતરો 50 ટકાથી પણ વધારે છે. ભારતમાં દર 11માંથી 1 વ્યક્તિ ડાયાબિટીસનો પેશન્ટ છે. વિશ્વના 16.6 ટકા ડાયાબિટીસના દર્દીઓ ભારતમાં છે. ઈન્ડિયન એકેડમી ઓફ ડાયાબિટીસના અધ્યક્ષનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય છે. ફક્ત કોરોના નહીં અન્ય બીમારીનો ખતરો પણ તેમને વધારે રહે છે.
કોરોનાથી મૃત્યુદર પણ વધ્યો
75 ટકા મોત માટે અન્ય બીમારીઓ જવાબદાર
ડાયાબિટીસના પેશન્ટને સૌથી વધુ રહે છે ખતરો
દવાની સાથે નિયમ પાલન પણ જરૂરી
મળતી માહિતી અનુસાર ડોક્ટરની તરફથી આપવામાં આવતી દવાની સાથે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો પણ ડાયાબિટીસને ઝડપથી નિયંત્રણમાં લાવી શકાય છે. જ્યારે આ દર્દીઓ મહામારીના સંપર્કમાં આવે છે તો તેમનામાં મહામારીનો પ્રભાવ જીવલેણ બની શકે છે.
સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીમાં 75 ટકાને અન્ય બીમારીઓ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાથી મોતમાં 75 ટકા ડાયાબિટીસ, દિલ કે બીપીની બીમારીથી પીડાતા દર્દીઓ હતા. જાણકારોનું માનવું છે કે કોરોનાની એક સીઝન જોવા મળી છે. આ મામટે તેની કોઈ ખાસ જાણકારી મળી નથી.
અડધાથી વધારેને રોગની ખબર જ નથી
લેસેંટના અનુસાર ભારતમાં અડધાથી વધારે ડાયાબિટીસના દર્દીઓને બીમારીની ખબર નથી. 7.7 કરોડમાંથી 5.7 કરોડ ધ્યાન રાખતા નથી, 20 ટકા લોકો સારવાર લેતા નથી. સંશોધનના આધારે કોરોનાના ગંભીર કેસમાં ડાયાબિટીસ અને મેટાબોલિક સિન્ડ્રોમની સ્થિતિ વધુ જોવા મળી રહી છે.