કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તેલંગણાની ઉસ્માનિયા યુનિવર્સિટીની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. હકીકતમાં જોઈએ તો, દેશની પ્રખ્યાત મનાતી ઉસ્માનિયા યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને પોતાના કેમ્પસમાં મુલાકાતની મંજૂરી આપી નથી. રાહુલ ગાંધી 7 મેના રોજ કેમ્પસમાં જવાનો પ્લાન બનાવ્યો હતો અને આ મુલાકાતને બિન રાજકીય ગણાવી હતી.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર યુનિવર્સિટીએ લેખિત રીતે આ મુલાકાત રદ કરી હોવાની જાણકારી આપી છે. પણ ઉસ્માનિયા યુનિવર્સિટીએ સત્તાવાર પરિષદે કથિત રીતે ના પાડી દીધી છે. ત્યાર બાદથી કોંગ્રેસ અને ટીઆરએસ આમને સામને છે.
કોંગ્રેસે લગાવ્યો TRS પર આરોપ
આ ઘટનાને લઈને કોંગ્રેસ તેલંગણા રાષ્ટ્ર સમિતિના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, ટીઆરએસે રાહુલ ગાંધીની મુલાકાત રોકવા માટે યુનિવર્સિટી પર દબાણ કર્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય જગ્ગા રેડ્ડીએ કહ્યું કે, રાજ્ય સરકાર રાહુલ ગાંધીની ઉસ્માનિયા યુનિવર્સિટીની વિઝીટને લઈને સંસ્થા પર પ્રેશર બનાવી રહી છે.
તેમણે કહ્યું કે, ઓયૂ હંમેશા તેલંગણા આંદોલન સહિત વિદ્યાર્થીઓે આંદોલનો માટે જાણીતી છે. જ્યારે અમે સ્પષ્ટ કહ્યું હતું કે, આ મુલાકાત બિન રાજકીય હશે, પણ તેમણે તેમ છતાં પણ તેને રદ કરી દીધી. 23 એપ્રિલે આ કાર્યક્રમ માટે અરજી કરી હતી. જેમાં કહેવાયુ હતું કે, આ મુલાકાત બિન રાજકીય હશે. આ ઉપરાંત અમુક વિદ્યાર્થીઓએ આ મુલાકાતને લઈને હાઈકોર્ટમાં પણ ગયા છે. અને કહ્યું કે, તેમના કેમ્પસમાં રાહુલ ગાંધીને આવવાની મંજૂરી આપવામાં આવે.
2017થી યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક પ્રવૃતિઓ પર રોક લગાવી છે
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2017માં કાર્યકારી પરિષદે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં રાજનીતિની સાથે સાથે બિન શૈક્ષણિક પ્રવૃતિઓ પર કેમ્પસમાં પ્રતિબંધ લગાવી દીધો છે. આવો પ્રસ્તાવ જૂન 2017માં રાખવામાં આવ્યો હતો, તેના એક વર્ષ પછી હાઈકોર્ટે રાજ્ય સરકારે યુનિવર્સિટી કેમ્પસમાં રાજકીય અને સાર્વજનિક બેઠકોને પરવાનગી નહીં આપવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન રાજકીય પ્રવૃતિને લઈને થઈ રહેલી મુશ્કેલી માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.