સુુપ્રીમ કોર્ટે એક અનાથ બાળકના કિસ્સામાં અનોખો નિર્ણય સંભળાવ્યો છે. કોવિડ દરમિયાન અનાથ થયેલા છ વર્ષના બાળકને સુપ્રીમ કોર્ટે તેની માસી પાસેથી લઈને દાદા દાદીને સોંપી દીધો છે.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
માસી પાસેથી લઈને દાદા-દાદીને બાળકની કસ્ટડી સોંપી
કોર્ટે પોતાના ચુકાદામાં કહી આ વાત
સુુપ્રીમ કોર્ટે એક અનાથ બાળકના કિસ્સામાં અનોખો નિર્ણય સંભળાવ્યો છે. કોવિડ દરમિયાન અનાથ થયેલા છ વર્ષના બાળકને સુપ્રીમ કોર્ટે તેની માસી પાસેથી લઈને દાદા દાદીને સોંપી દીધો છે. ગુજરાત હાઈકોર્ટનું માનવું હતું કે, માસી કમાઉ મહિલા છે, એટલી સારી દેખરેખ કરશે, પણ સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, દાદા-દાદી વધારે સારી રીતે જવાબદારી નિભાવશે, કારણ કે દાદા-દાદીને પોતાના પૌત્રો સાથે વધારે હેત હોય છે.
કોર્ટે કહી આ વાત
જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેન્ચે કહ્યું કે, દાદા-દાદી તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. તેના પ્રેમ અને ક્ષમતા પર શંકા કરી શકાય નહીં. ભાવનાત્મક રીતે પણ, દાદા દાદી હંમેશા તેમના પૌત્ર-પૌત્રીઓની વધુ સારી રીતે કાળજી લેતા હોય છે. આ ટિપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે કોવિડથી અનાથ બનેલા પાંચ વર્ષના બાળકની કસ્ટડી માસી પાસેથી લઈને દાદા-દાદીને સોંપી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો
બાળકની કસ્ટડી દાદા-દાદીને બદલે માસીને સોંપવાના ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધો છે. માસી અપરિણીત છે, સરકારી નોકરીમાં છે અને સારો પગાર મેળવે છે તે આધારે હાઈકોર્ટે બાળકની કસ્ટડી માસીને આપી હતી. જ્યારે દાદા દાદી 71 અને 63 વર્ષના છે અને નિવૃત્ત થયા છે, તેમનો ખર્ચ પેન્શન દ્વારા પૂરો કરવામાં આવે છે. જોકે હાઈકોર્ટે દાદા-દાદીને પૌત્ર-પૌત્રીઓને મળવાનો અધિકાર આપ્યો હતો.