બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Organizing a special religious program in Salangpur, Botad

ધર્મ-આસ્થા / સાળંગપુરમાં પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેકનું આયોજન

Shyam

Last Updated: 09:31 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27, 28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો

  • સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક
  • 27, 28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવ
  • પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેક

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ યોજાશે. તારીખ 27, 28 અને 29 ઓગસ્ટ ત્રણ દિવસ સુધીના આ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. જેમાં પ્રથમ દિવસે નારાયણ કુંડ ખાતે 1000 મહિલાઓ દ્વારા ભવ્ય જળયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અંબાડી સાથેના ગજરાજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું, તો ઢોલના તાલનો હાજર લોકોએ પણ ખૂબ આનંદ માણ્યો હતો. 

સહસ્ત્ર કળશ અભિષેક મહોત્સવ કરવા પાછળ એવું માનવામાં આવે છે કે, હનુમાનજી દાદાની સ્થાપના બાદ અત્યાર સુધીમાં જો ભૂલથી પણ કોઈ દોષ થયો હોય તો, તે આ અભિષેકથી દૂર થાય તેમજ દાદાનું જે શૉર્ય છે. તેમાં વધારો થાય તેવા ભાવ સાથે ત્રણ દિવસનો આ મહોત્સવ છે.

પ્રથમ દિવસે ભવ્ય કળશયાત્રા બાદ 28 ઓગસ્ટે 25 બ્રાહ્મણ દ્વારા 10 કુંડીયજ્ઞનું વૈદિક મંત્રો દ્વારા પ્રારંભ કરવામાં આવશે. તેમજ ત્રીજા અને અંતિમ દિવસે પંચમુખી હનુમાનજી દાદાની મૂર્તિ પર સતત 12 કલાક સુધી મહાઅભિષેક બાદ બીડુ હોમી યજ્ઞ પૂર્ણ જાહેર કરવામાં આવશે. એમ શ્રવણ માસના પવિત્ર મહિનામાં ત્રણ દિવસ ભવ્ય કળશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Botad Salangpur Hanumanji Saturday Swaminarayan Temple બોટાદ શનિવાર સાળંગપુર હનુમાનજી મહારાજ sarangpur hanumaanji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ