પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું આ હોમ સ્ટેટ છે જેના કારણે ચુંટણી માટે કોઇપણ પ્રકારે ભાજપ હાઈકમાંડ રિસ્ક લેવાં માગતું નથી
તેજસ્વી સૂર્યા ગુજરાત પ્રવેસે
પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠકમાં આપશે હાજરી
બેઠકમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમને લઈ થશે ચર્ચા
ભારતીય જનતા પાર્ટીની યુવા પ્રદેશ કારોબારીની બેઠક આગામી સમયમાં રાજકોટમાં યોજાવા જઈ રહી છે. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચના મુજબ આ કારોબારી બેઠકનું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં ભાગ લેવા ભાજપનાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આવશે. આ મોટી બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સ્તરના ગુજરાતના તમાંમ કાર્યકર્તા પણ હાજરી આપવાના છે. આગામી સમયમાં ચૂંટણી છે એટલે કાર્યકારણી બેઠક પણ યુવાનો માટે ખૂબ જ અગત્યની છે. અત્યાર સુધી ગુજરાત યુવા મોરચા દ્વારા થયેલા કોમો તેમજ હવેના આયોજન વિશે પણ તેજસ્વી સૂર્યાને માહિતગાર કરવામાં આવશે. જે બાદ તે ચૂંટણી લક્ષી જરુંરી માર્ગદર્શન અને સૂચનો આપશે
3 સપ્ટેમ્બરે રાજકોટમાં તેજ તર્રાર તેજસ્વી સૂર્યા આવશે
3 સપ્ટેમ્બરે રાજકોટમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપનાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા હાજર રહી આગામી ચૂંટણી લક્ષી કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરશે. PMના આગામી પ્રવાસને લઈને આયોજન કરવામાં આવશે.રાજ્યમાં યોજાનાર યુવા સંમેલન અંગે પણ ચર્ચા કરશે.
ભાજપ સ્થિતિનો તાગ મેળવી સતત બદલી રહ્યું છે રણનીતિ
ગુજરાતની રાજનીતિમાં હાલમાં ભાજપનું પલડું ભારે છે.અને ભાજપે એવું દર્શાવી રહી છે કે આગામી ચુંટણીમાં જીત આશાન છે. હકીકતમાં આ વખતે ભાજપને શહેરી વિસ્તારમાં હારનો ડર વધારે છે અને એટલે જ અન્ય રાજ્યોમાં જેમાં પ્રચાર કરવામાં આવે છે. એ રીતે આ વખતે ગુજરતમાં પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે. ભાજપે ગુજરાતને 4 ઝોનમાં વહેચીને પ્રચાર કરવા માટે આયોજન કરેલું છે. જેમાં મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના નેતાઓને સોપી છે. તો દક્ષીણ ગુજરાતની જવાબદારી મહારાષ્ટ્રને સોપવામાં આવી છે. ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-કચ્છની જવાબદારી બિહારને સોપવામાં આવી છે.
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પ્રચાર માટે કાર્યકર્તાની ફોજ ઉતરશે
આમ તો ગુજરાતમાં ચુંટણી સમયે અન્ય પ્રદેશના નેતાઓ પ્રચાર,સભા કે રોડ શો માટે આવતા હોય છે..પરંતુ આ વખતે કાર્યકર્તાઓની મોટી ફોજ ગુજરાત આવશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે મહોલ્લા મીટીંગ કરશે. આ રીતેનો પ્રચાર સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં થતો હોય છે. પરંતુ ગુજરાતમાં થતો નથી. આ વખતે આ પેટર્ન પર પ્રચાર કરવામાં આવશે.કારણ કે ભાજપને ડર છે કે નાના સમાજના લોકો ભાજપથી અંતર રાખે છે અને તેના કારણે નુકશાન થઇ શકે છે. જેથી હાઈ કમાંડ કોઇપણ પ્રકારે રિસ્ક લેવાં માંગતું નથી.