હાલ ઉનાળુ પાકના વાવેતરની સિઝન ચાલી રહી છે ત્યારે આવો જાણીએ કે ઉનાળુ અડદનો પાક કેવી રીતે વાવશો અને તે માટે શું શું ધ્યાન રાખીશું.
ખેતીવાડી - Gayatri Joshi
ઉનાળુ પાક ની વાવણીનો સમય થઈ ગયો છે ત્યારે અડદના પાક વિશે પણ સંપૂર્ણ જાણકારી પાકનું રક્ષણ કેવી રીતે કરવું વગેરે જાણવું હોય તો આ લેખ તમારા માટે જ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કઠોળ વિભાગમાંથી તેની વેબસાઈટ પરથી આ અંગેની માહિતી અમે મેળવી છે. તો આવો જાણીએ કે અડદના પાક માટે શું છે જરૂરી?
જમીનની તૈયારી
અડદનો પાક લેવાનો હોય તે જમીનમાં ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યપ્રકાશમાં તપાવવી. ખેડ વખતે હેક્ટરે 10 ટન છાણીયું ખાતર અથવા ગળતીયુ ખાતર નાંખી કરબ મારીને જમીન તૈયાર કરવી.
વાવેતરનો સમય
ચોમાસાની ઋતુમાં જુલાઈના પ્રથમ પખવાડિયામાં અને ઉનાળાની ઋતુમાં ફેબ્રુઆરીના છેલ્લાં અઠવાડિયામાં અડદનું વાવેતર કરવું હિતાવહ છે. ખૂબજ તાપમાન રહેતું હોય તેવા વિસ્તારમાં ઉનાળામાં અડદનું વાવેતર કરવું હિતાવહ નથી.
બિયારણનો દર અને બીજની માવજત
અડદના વાવેતરમાં હેક્ટરે 15-20 કિલો બિયારણ પૂરતું થઈ રહેશે. બીજને વાવતાં પહેલાં રાઈઝોબિયમ તથા પીએશબી કલ્ચરનો પટ આપવો. આ માટે 8 કિલો બીજ દીઠ 250 ગ્રામના એક પેકેટ પ્રમાણે પટ આપવો. બીજને ટ્રાઈકોડર્માની માવજત આપવી.
સેન્દ્રિય ખાતર
જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 10 ટન છાણીયું ખાતર અથવા ગળતીયુ ખાતર આપવું.
વાવણી
વાવણી વખતે અડદની બે હાર વચ્ચે 45 સેમી અને બે છોડ વચ્ચે 10 સેમી અંતર રાખવું. અડદનો પાક ઉગ્યાં બાદ તુરત જ ખાલી જગ્યા પૂરવા અને જે જગ્યાએ વધારે છોડ હોય ત્યાં પારવણી કરીને છોડની સંખ્યા જાળવવી.
નિંદામણ અને આંતરખેડ અને પિયત
ટૂંકાગાળાના અડદનો પાકને શરૂઆતના એક માસ સુધી નીંદણમુક્ત રાખવો. જે માટે બે વખત આંતરખેડ અને હાથથી નિંદામણ કરવું. ઉનાળામાં સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 9-10 દિવસના અંતરે 4-6 પિયત આપવા જોઈએ. દક્ષિણ ગુજરાતમાં 16-17 દિવસના અંતરે 5 પિયત આપવા જોઈએ.
પાકસંરક્ષણ
ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ જીવાના કોશેટાઓનો નાશ કરી જીવનચ્કને આગળ વધતું અટકાવી શકાય.
તડતટિયાના સફદ માખીના નિયંત્રણ માટે લીંબોળીમાંથી બનાવેલ 5 ટકા દ્વાવણ (500 ગ્રામ/ 10 લિટર પાણી) નો છંટકાવ કરવો
જુદી જુદી ઈયળોના નિયંત્રણ માટે પ્રકાશ પિંજરા ગોઠવવા
ફેરોમેન ટ્રેપ લગાવી બહોળા પ્રમાણમાં ઈયળોના નરને આકર્ષી ઉપદ્વવ ઘટાડી શકાય છે.
ઊભા પાકમાં બેલાખડાં લગાડવાથી વક્ષીઓ આવી ઈયળોનું ભક્ષણ કરતાં હોવાથી વસતીમાં ઘટાડો કરી શકાશે.
જીવાતનું પ્રમાણ ઓછું હોય તો વીણીને પણ નાશ કરી શકાય
પાકને ફરતે અને વચ્ચે ગલગોટા અને દિવાલાં વાવાથી અનુક્રમે લીલી ઈળ તથા લશ્કરી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. પરભક્ષી તેમજ પરજીવીઓની સંખ્યા જાળવી શકાય છે.
પરજીવી જેવા કે ટ્રાઈકોગ્રામા તથા પરત્રક્ષી જેવા કે દાળીયા તથા ક્રાઈસોપા કિટકોને પ્રયોગશાળામાં ઉછેરી ખેતરમાં છોડવાથી ઈયળોનો ઉપદ્વવ ઘટાડી શકાય છે.
ચૂસિયા જીવાતોના ભૌતિક નિયંત્રણ માટે સ્ટીકી ટ્રેમ 10થી 10નો ઉપયોગ કરવો. ઉધઈ નિયંત્રણ માટે લીંબોળી અથવા દિવેલાનો ખોળ હેક્ટરે 250 કિલો આપવાથી ફાયદો થશે
ગંઠવા કૃમિનાં અસરકારક નિયંત્રણ માટે એરંડીનો ખોળ અથવા રાયડાનો ખોળ અથવા લીંબોળીનો ખોળ હેક્ટરે 1 ટન પ્રમાણે વાવણીના 2થી 3 દિવસ પહેલા જમીનમાં આપવો.
મૂળના રોગો અટકાવવા માટેલ ટ્રાયકોડમાં હેક્ટરે 2.5 કિલો વાવેતર સમયે ચાસમાં 100 કિગ્રા દેશી ખાતર અથવા એરંડાના ખોળ સાથે ભેળવી આપવું.
કાપણી
પાકની 80 શીંગો પાકી જાય ત્યારે બપોર પહેલાંના સમયમાં કાપણી કરવી જેથી શીંગો ખરી ન જાય. કાપણી કર્યા બાદ ખળામાં સૂકવવા. અડદ પૂરેપુરા સુકાઈ જાય ત્યારે બળદ કે ટ્રેક્ટર અથવા થ્રેસરથી દાણા છુટા પાડવા અને ઉપણીને સંગ્રહ કરવો