સુરતના રત્નકલાકાર મનસુખ કથરોટિયાના અંગોનું દાન, બે ફેફસા, બે કિડની, લીવર અને આંખોનું દાન, મનસુખ કથરોડિયાના અંગદાનમાંથી ફેફસા ઇન્દોરની મહિલામાં ઈમ્પ્લાન્ટ કરાયા
સુરતમાં બ્રેઇન ડેડ રત્નકલાકારનું અંગદાન
બે ફેફસા, બે કિડની, લીવર અને આંખોનું દાન
મનસુખ કથરોટિયાએ 4 લોકોને આપ્યું નવજીવન
સુરતમાં બ્રેઇન ડેડ રત્નકલાકારે 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. રત્નકલાકાર મનસુખ કથરોટિયાને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જે બાદ તેમના પરિવાર દ્વારા અંગદાનના મહાન નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે બ્રેઈન સ્ટ્રોક બાદ ડૉક્ટરો દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. તેમના પરિવારની સહમતિ બાદ માનવ શરીરના બે ફેફસા, બે કિડની, લીવર અને આંખોનું દાન કરાયું છે. મનસુખ કથરોડિયાના અંગદાનમાંથી ફેફસા ઇન્દોરની મહિલામાં ઈમપ્લાન્ટ કરાયા છે. તો લીવર અમદાવાદના એક રહીશમાં ઈમપ્લાન્ટ કરાયું છે. આ સહિત કુલ 4 લોકોને નવજીવન અપાયું છે.