જામનગરના દીપકભાઈ નામના યુવકને બ્રેન સ્ટોક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે અંગોનું દાનનો નિર્ણય કર્યો હતો...
બ્રેઇન ડેડ યુવાનના પરિવારનો નિર્ણય
જામનગરના બ્રેઇન ડેડ યુવાનનું અંગદાન
બ્રેઇનડેડ દીપકભાઈ ત્રિવેદીના 5 અંગોનું દાન
ગુજરાતમાં હવે લોકો અંગદાનનું મહત્વ સમજતા થયા છે.. ત્યારે રાજ્યમાં વધુ એક માવતા મહેકાવે તેવું કિસ્સો સામે આવ્યો છે..જામનગરના દીપકભાઈ નામના યુવકને બ્રેન સ્ટોક આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.. જો કે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો....
બ્રેઇનડેડ યુવાન દીપકભાઈ ત્રિવેદીનું અંગદાન
જામનગરના વતની દીપકભાઈ ત્રિવેદીને બ્રેન સ્ટોક આવતા હવે તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં હ્યદય, લીવર, બે કિડની, અને આંખોનું દાન કરવામાં આવનાર છે, કિડની, લિવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું અનુદાન રાજકોટ આઇબેન્કમાં કરાશે અન્ય દર્દીઓને 2 કિડની આપવામાં આવશે, બ્રેન ડેડ દીપકભાઈનાઈ પાંચ અંગોનું દાન કરવામાં આવતા હવે 6 વ્યક્તિઓને નવુ જીવન મળશે..
બ્રેઇનડેડ યુવાનના શરીરના 5 અંગોનું દાન
જામનગરના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય કરવામાં આવતા આજે અમદાવાદની સિમ્સ હોસ્પિટની ટીમ રાજકોટ આવવા રવાના થઈ હતી..જેમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે ધમકતું હ્યદય માત્ર સાડા છ મિનીટમાં જ એરપોર્ટ પહોંચાડાયું હતું.. જે બાદ અમદાવાદ લાવવામાં આવ્યું હતું.. દીપકભાઈને બ્રેનસ્ટ્રોક થવાને કારણે બ્રેનડેડ જાહેર થતાં આજે પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કર્યો હતો અને 6 લોકોને નવજીવન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જ્યારે હૃદય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું હતું.
અંગદાન બ્રેઇન ડેડ વ્યક્તિનું જ થઇ શકે, કોમામાં હોય તેનું નહીં.
મહત્વનું છે કે આંખોને છોડી બાકીનાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ત્યારે જ શક્ય બને છે જ્યાં સુધી અંગદાન કરનારી વ્યક્તિના દિલની ધડકન ધડકતી રહે છે ભલે તેના બ્રેઇને કામ કરવાનું બંધ કરી દીધું હોય. જ્યારે શરીરનાં બીજાં અંગો કામ કરી રહ્યાં હોય અને બ્રેઇને કોઇ પણ કારણસર કામ કરવાનું બંધ કરી દીધું હોય અને ફરી તેની કામ કરવાની શક્યતા ન હોય તો વ્યક્તિને બ્રેઇન ડેડ માનવામાં આવે છે. તેનાં ઘણાં કારણ હોઇ શકે છે. માથામાં ગંભીર ઇજા થવી, ટ્યૂમર કે લકવાના કારણે બ્રેઇન ડેડ અને કોમામાં ફરક હોય છે. કોમામાં ગયેલી વ્યક્તિ ક્યારેક નોર્મલ થઇ શકે છે, પરંતુ બ્રેઇન ડેડ થયેલી વ્યક્તિ ક્યારેય સાજી થઇ શકતી નથી. કોમાની સ્થિતિમાં વ્યક્તિના મગજનો થોડો ભાગ કામ કરી રહ્યો હોય છે, જ્યારે બ્રેઇન ડેડમાં નહીં. અંગદાન બ્રેઇન ડેડ વ્યક્તિનું જ થઇ શકે છે, કોમામાં હોય તે દર્દીનું નહીં.
લિવરનો એક નાનકડો ભાગ પણ દાન કરી શકાય
આમ તો અંગદાન કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ જ થાય છે, પરંતુ બ્રેઇન ડેડ વ્યક્તિના મૃત્યું બાદ બરાબર જ સમજવામાં આવે છે. જીવિત વ્યક્તિ બેમાંથી પોતાની એક કિડનીનું દાન કરી શકે છે, લિવરનો એક નાનકડો ભાગ પણ દાન કરી શકે છે. મૃત્યુ બાદ સૌથી વધુ દાન આંખોનું થાય છે. અંગદાન કરવા માટે ઉંમરની કોઇ સીમા હોતી નથી, પરંતુ ૧૮ વર્ષથી ૬૫ વર્ષની ઉંમરમા અંગદાન કરવું બહેતર ગણાય છે.
બીમારીથી પીડાતા લોકો અંગદાન કરી શકતા નથી
અંગદાન કરતાં પહેલાં ઘણી બધી વસ્તુઓનું મેચિંગ કરાવાય છે. કિડનીની બાબતમાં એચએલએ, લિવર અને હાર્ટના કેસમાં બ્લડ ગ્રૂપનું મેચિંગ કરાવાય છે. હિપેટાઇિટસ-બી અને સી, એચઆઇવી પોઝિટિવ, સિફલિસ અને રેબીઝ જેવી બીમારીથી પીડાતા લોકો અંગદાન કરી શકતા નથી.અંગદાન કરનાર બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરનાં જેટલું જલદી શક્ય હોય તેટલું જલદી અંગો કાઢવાની કોશિશ કરાય છે. અંગો કાઢવા માટે ૬ થી ૧૨ કલાકની અંદર ટ્રાન્સપ્લાન્ટ થઇ જવું જોઇએ, નહીં તો તે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવા યોગ્ય રહેતું નથી.
અમર બનવાનો સાચો રસ્તો તો અંગદાન
લોકો મૃત્યુ બાદ પણ અમર બનવા ઇચ્છતા હોય છે. આ માટે કેટલાક લોકો સમાધિ, રસ્તા, ઇમારત અને સંસ્થાઓ બનાવે છે. સાર્વજનિક સ્થળો કે પાર્કમાં પોતાની પ્રતિમા લગાવે છે. જૂના જમાનામાં લોકો પોતાના પૂર્વજોના નામથી ધર્મશાળા અને મંદિર બનાવતા હતા. લોકોની ઇચ્છા હોય છે કે તેમના મૃત્યુ બાદ પણ તેમને યાદ રાખવામાં આવે. આ બધું તો ઠીક છે, પરંતુ મૃત્યુ બાદ પણ જીવિત રહેવાનો, અમર બનવાનો સાચો રસ્તો તો અંગદાન જ છે. દુનિયાને યાદ રહેવા માટે લાંબા જીવનની નહીં, પરંતુ પ્રભાવશાળી જીવનની જરૂર હોય છે.