મોરબીના કોયલી ગામની આરતીના પરિવાજનોએ બ્રેઈન ડેડ યુવતીના 5 અંગનું દાન કરી માનવતા મહેકી ઉઠે તેવું કામ કર્યું
સિવિલમાં બ્રેઈન ડેડ યુવતીના અંગોનું દાન
મોરબીની બ્રેઈન ડેડ યુવતીના 5 અંગનું દાન
અંગદાનથી 5 લોકોને મળશે નવજીવન
મોરબીના કોયલી ગામની આરતી પટેલના પરિવાજનોએ માનવતા મહેકી ઉઠે તેવું કામ કર્યું છે, દુનિયામાં મૃત્યુ એ સનાતન સત્ય છે તેમાંથી કોઈ બાકાત રહી શકતું નથી અને કોઈ રહી શકવાનું પણ નથી અત્યારે આપણું અસ્તિત્વ ટકેલું હોય છે પરતું આપને જાણીને નવાઈ લાગશે કે મૃત્યુબાદ પણ આપણે અન્ય વ્યક્તીને આવી રીતે કામે આવી શકીએ છીએ,
મોરબીની બ્રેઈન ડેડ યુવતીના 5 અંગનું દાન
મોરબીના કોયલી ગામની આરતીના અંગોનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન કરાયું છે. બ્રેઈન ડેડ જાહેર થતા આરતીના અંગોને હોસ્પિટલને દાન કરવાનો પરિવાજનોએ નિર્ણય કર્યો હતો જે બાદ સિવિલમાં આરતીના 5 અંગોને ડોનેટ કરાયા હતા આમ આરતીના મૃત્યુ બાદ પણ તેના અંગો થકી અન્ય કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કર્યું છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્યના અંધકારમય જીવનને મદદરૂપ થઈ શકીએ છીએ.
છેલ્લા 9 મહિનામાં 9 લોકોએ 27 જેટલા અંગોને ડોનેટ કર્યા
મહત્વનું છે કે હવે ધીમે ધીમે અંગદાનનું મહત્વ સમજાતું જાય છે, બ્રેઈન ડેડ થતા બાદ વ્યક્તિના અંગો જો ડોનેટ કરવામાં આવે તો તેના પર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યસ સ્ટડી કરી શકે છે, અને વધુ મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં વધુ સારુ કામ કરી શકે છે. જો વાત કરવામાં આવે તો છેલ્લા 9 મહિનામાં 9 લોકોએ 27 જેટલા અંગોને ડોનેટ કર્યા છે. આમ બમોબીના કોયલી ગામની બ્રેઈન ડેડ આરતીના અંગોને દાન કર્યા બાદ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અંગદાન એ મહાદાન છે મૃત્યુબાદ પણ એક વ્યક્તિ 4 લોકોનું જીવન બદલી શકે છે.