બંને ટાવર ગેરકાયદેસર છે અને અદાલતે કહ્યું કે, નોઇડા ઓથોરિટીના અધિકારીઓ અને સુપરટેકની મિલીભગતથી આ ટાવરનું નિર્માણ થયુ છે. અદાલતે 3 ઓગસ્ટે કરેલી સુનવણીમાં જ પોતાનો નિર્ણય લઇ લીધો હતો. ત્યારથી કોર્ટે નોઇડા અથોરીટીને પણ પાઠ ભણાવ્યો હતો.
અદાલતે શું કહ્યું
અદાલતે કહ્યું કે ઓથોરિટીને એક સરકારી નિયામક સંસ્થા તરીકે વ્યવહાર કરવો જોઇએ, કોઇ પ્રાઇવેટ કંપનીની રક્ષા માટે કામ ન કરવું જોઇએ. ઇલાહાબાદ કોર્ટે 2014માં બંને ટાવરને ગેરકાયદેસર કહેતા તેને તોડવાનો આદેશ આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના આદેશ પર અપીલ દરમિયાન રોક લગાવી દીધી હતી.
ફ્લેટ્સનું રિફંડ થશે?
સુપરટેકના બંને ટાવરમાં 950થી વધુ ફ્લેટ બનાવવાના હતા. 32 ફ્લોર સુધી કન્સ્ટ્રક્શન પુરુ થઇ ગયુ હતુ. જ્યારે અમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીના લોકોની યાચિકા પર ટાવર તોડી પાડવાનો આદેશ આવ્યો હતો. 633 લોકોએ ફ્લેટ બૂક કરાવ્યો હતો જેમાંથી 248 લોકો રિફંડ લઇ ચૂક્યા છે. 133 બીજા પ્રોજેક્ટમાં શિફ્ટ થઇ ગયા છે પરંતુ 252 લોકોએ હજુ પણ ઇનવેસ્ટ કરેલું છે.
ઓથોરિટી અને સુપરટેક વચ્ચે કેવી રીતે થઇ સાંઠ ગાંઠ?
અદાલતે નોઇડા ઓથોરિટીની હરકતોને સત્તાનો આર્શ્ચર્યજનક વ્યવહાર ગણાવ્યો હતો. બેન્ચે કહ્યું કે, જ્યારે ફ્લેટ ખરીદનાર લોકોએ તમને 2 ટાવર, એપેક્સ અને સીયાન બિલ્ડીંગ પ્લાન્સ પર ખુલાસો કરવા કહ્યું તો તમે સુપરટેકને પૂછ્યુ અને કંપનીએ આપત્તિ જતાવી તો ઇન્કાર કરી દીધો? અદાલતે કહ્યું કે, ઓથોરિટી અને સુપરટેક એકબીજા સાથે ભળેલા છે.