સમગ્ર રાજ્ય સહિત સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા શનિ-રવિ મોલ બંધ રાખવાનો આદેશ કરાયો
સુરતમાં મોલ બંધ રાખવા આદેશ
શનિ-રવિ મોલ રહેશે બંધ
ડુમસ રોડનો રાહુલ રાજ મોલ રહેશે બંધ
સુરતમાં કોરોનાના વધતા કેસને લઈ મોલ બંધ રાખવાના આદેશ કરી દેવાયા છે. શનિ-રવિના દિવસે મોલ બંધ રાખવા કોર્પોરેશન દ્વારા આદેશ કરાયો છે. ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ પણ બંધ રહેશે. પ્રતિદિવસ 100થી વધુ કેસ નોંધાતા આ નિર્ણય લેવાયો છે. સુરત સહિત રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
COVID 19 cases are increasing in the city. As mask is the easiest way to protect us from new strain. I appeal you all to avoid gatherings and be safe
તો આ તરફ સુરતમાં કોરોનાના કેસો વધતા મહાનગર પાલિકા તંત્ર સક્રિય થયું છે. ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં 17 પોઝિટિવ કેસો મળ્યા છે. 3 ટેક્ષટાઇલ માર્કેટસમાંથી કેસો મળતા તે બંધ કરાવવામાં આવી છે. સાંઈ ખ્યાતિ માર્કેટ , ગંગા ફેશન માર્કેટ અને આદર્શ માર્કેટ મનપાએ બંધ કરાવી છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સઘન ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.