અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરત મનપા એક્શનમાં આવી ગઇ છે. ફાયર સેફ્ટીના અભાવે મનપાએ MOU રદ કર્યા છે. કરારબદ્ધ ખાનગી હોસ્પિટલ સાથેના MOU રદ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં અગ્નિકાંડ બાદ સુરત મનપા એક્શનમાં
ફાયર સેફ્ટીના અભાવે મનપાએ MOU કર્યા રદ
કરારબદ્ધ 3 ખાનગી હોસ્પિટલ સાથેના MOU રદ કર્યા
ઉલ્લેખનીય છે કે, સુરત મનપાએ અમીના સાર્વજનિક હોસ્પિટલ, જી.બી.વાઘાણી હોસ્પિટલ અને પરમ હોસ્પિટલ સાથે MOU રદ કર્યા છે. કોરોના ડોઝિંગનેટેડ તમામ 36 હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી.
3 હોસ્પિટલના MOU રદ કરી
આપને જણાવી દઇએ કે,12 જેટલી હોસ્પિટલમાં સેફ્ટી મામલે ક્ષતિ સામે આવી છે. જ્યારે 9 હોસ્પિટલને 24 કલાકમાં સુવિધા ઉભી કરવા તાકીદ કરવામાં આવી છે. તો 3 હોસ્પિટલના MOU રદ કરી બંધ કરવા સૂચના આપવામાં આવી છે.
શું બન્યું હતું અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં?
વોર્ડ બોય ચિરાગ પટેલના જણાવ્યાં પ્રમાણે તે રાત્રે પોણા ત્રણના સુમારે પાણી પીવા બહાર આવ્યો ત્યારે ICUમાં એક સ્ટાફ બ્રધર અંદર હતો. અચાનક જ પાણી લાવો તેવી બુમો પડી હતી. તેઓ દોડતા અંદર ગયા તો 9 નંબરના દર્દીના વાળ સળગતા હતા. એ દરમિયાન સ્ટાફ બ્રધર ગૌરવ PPE કીટ પહેરી બચાવવા ગયો હતો. પરંતુ તેમની PPE કીટ સળગવા લાગતા ડોક્ટર તેમને બચાવવા ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યાં અંદર એક બ્લાસ્ટ થયો. જે બાદ ફાયરની ટીમ આવતા તેમણે ચિરાગને અંદર જવાની ના પાડી હતી. પરંતુ તે પોતે બચાવ માટે કામ કરવા તૈયાર છે તેવું કહેતા ઓક્સિજન કીટ પહેરીને જવા દેવામાં આવ્યા, પરંતુ ખુબ ધુમાડો અને આગ હોવાથી કઈ જોઈ શકાતું નહોતું. જેથી બચાવ કામગીરીમાં ખુબ જ મુશ્કેલી પડી હતી.