નવી દિલ્હીઃ ગૌરક્ષાના નામે થતી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને દિશાનિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે કોઈપણ વ્યક્તિ કાયદાને હાથમાં ન લઈ શકે. કોઈ વ્યક્તિ પોતે કાયદો ન બની શકે.
આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું કે 4 સપ્તાહમાં આ મામલે એક અલગથી કાયદો બનાવવામાં આવે. ઈમાનદારીથી કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકતંત્રમાં ભીડને કોઈ સ્થાન નથી. રાજ્ય સરકાર પણ બંધારણનું રક્ષણ કરે. રાજ્ય સરકાર આ પ્રકારની ઘટનાઓ રોકવાનો પ્રયાસ કરે.
વધુમાં કહ્યું કે ડર અને અરાજકતાની સ્થિતિમાં સરકારને સકારાત્મક કદમ ઉઠાવવાના હોય છે. હિંસા કરવાનો અધિકાર કોઇને પણ ન દઇ શકાય. કોઇ પણ નાગરિક કાયદાને પોતાના હાથમાં ન લઇ શકે.