જમ્મૂ કાશ્મીરના અધિકારીઓને સરકારી ભવનમાં 15 દિવસમાં રાષ્ટ્રધવજ ફરકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જમ્મૂ કાશ્મીરના એલજીએ આપ્યા આદેશ
15 દિવસમાં સરકારી ભવનોમાં લહેરાશે તિરંગો
એલજીએ જિલ્લા મૅજિસ્ટ્રેટ, એસપી અને અધિકારીઓ સાથે મોટી બેઠક કરી હતી
જમ્મૂ કાશ્મીરના એલજીએ બધી જ સરકારી ઓફિસોમાં તિરંગો ફરકાવવાના આદેશ આપ્યા છે. રાજ્યના બધા જ કાર્યાલય અને બધા વિભાધ્યક્ષોને આગામી 15 દિવસમાં સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના સંબંધમાં નિર્દેશોને લાગુ કરવા કહેવામાં આવ્યું છે.
બેઠક બાદ અપાયા આદેશ
જમ્મૂ દ્વારા મળતી માહિતી અનુસાર જમ્મૂના વિભાગોને કહેવામાં આવ્યું છે કે ભારતીય ધ્વજને લઈને ઉપરાજ્યપાલના આદેશને કડકાઇથી લાગુ કરવામાં આવે. જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ હાલમાં જ રાજ્યના વિવિધ જિલ્લા મૅજિસ્ટ્રેટ, એસપી અને અધિકારીઓ સાથે મોટી બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં 20 જિલ્લામાં વિવિધ સરકારી ભાવનોમાં ધ્વજ ફરકાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
અમૃત મહોત્સવ કરવાના પણ કાર્યક્રમ
ઉપરાજ્યપાલે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વિવિધ ગતિવિધિઓને ધ્યાને રાખીને આ બેઠક કરી હતી અને જિલ્લા અધિકારીઓને એવા ક્ષેત્રો શોધી કાઢવા માટે પણ આદેશ આપવામાં આવે છે જ્યાં સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા થઈ હોય. સમારોહમાં એવા લોકોને સન્માનિત કરવામાં આવશે જેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભૂમિકા ભજવી હોય.
370 ધારા હતી ત્યારે રાજ્યનો પોતાનો ધ્વજ હતો
નોંધનીય છે કે ધારા 370 હટાવ્યા બાદથી જ જમ્મૂ કાશ્મીરમાં માત્ર ભારતનો ધ્વજ લહેરાય છે. આ પહેલા જમ્મૂ કાશ્મીરમાં રાજ્યનું જુદું બંધારણ હોવાથી એક લાલ રંગનો ધ્વજ સ્વીકારવામાં આવ્યો હતો.