ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પહેલાં જ ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સંપર્ક તૂટી ગયો હતો. વિક્રમની સાથે વાસ્તવમાં શું થયું, હાલમાં તે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી મળી રહી નથી. પણ ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોથી જલ્દી જ આ સવાલોના જવાબ મળી જશે.
ઈસરોના વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે અમે 3 દિવસમાં જાણી લેશું કે વિક્રમની સાથે વાસ્તવમાં શું થયું, હાલમાં તે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે.
3 દિવસ પછી આ જ પોઈન્ટથી પસાર થશે ઓર્બિટર
3 દિવસમાં લેન્ડર વિક્રમ મળી જવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે જે જગ્યાએ સંપર્ક તૂટયો હતો તે જગ્યાએ ઓર્બિટરને પહોંચવામાં 3 દિવસ લાગશે. અમને લેન્ડિંગ સાઈટની જાણકારી છે. છેલ્લી ક્ષણોમાં વિક્રમ પોતાના રસ્તા પરથી ભટકી હગયું હતું અને અમે ઓર્બિટરના 3 ઉપકરણો SAR એટલે કે સિંથેટિક અપર્ચર રેડાર, IR સ્પેક્ટ્રોમીટર અને કેમેરાની મદદથી 10*10 કીમીનો વિસ્તાર શોધીશું. વિક્રમને શોધવાની કોશિશમાં અમે તે વિસ્તારના હાઈ રિઝોલ્યુશન ફોટોઝ લઈશું.
ટુકડા ટુકડા થયું હશે તો વિક્રમને શોધવું થશે મુશ્કેલ
વૈજ્ઞાનિરોએ એ પણ કહ્યું છે કે જો વિક્રમનું ક્રેશ લેન્ડિંગ હશે તો તેના ટુકડા થઈ ગયા હશે. તો તેના મળવાની સંભાવના ઓછી રહેશે. જો તેના કંપોનેંટને નુકસાન નહીં થયું હોય તો હાઈ રિઝોલ્યૂશન ફોટોઝની મદદથી તેને શોધી શકાશે. ઈસરોના ચીફ કે. સિવને કહ્યું કે આવનારા 14 દિવસ સુધી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાની કોશિશ કરશે. ઈસરોની ટીમ સતત મિશનમાં જોડાયેલી છે. એવામાં આવનારા 14 દિવસમાં દેશને સારા સમાચાર મળી શકે છે.
વિક્રમના મળવાની હજુ પણ છે સંભાવનાઃ ઈસરો ચીફ
ઈસરો ચીફ કે. સિવને ટીઓઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે લેન્ડર વિક્રમના મળવાની સંભાવના હજુ પણ છે. તેઓએ કહ્યું કે ઓર્બિટરની ઉંમર સાડા 7 વર્ષથી વધુ છે. તેના કારણે તેની પાસે વધારે ઈંઘણ છે. ઓર્બિટર પર ઉપકરણોની મદદથી લેન્ડર વિક્રમના મળવાની સંભાવના છે.
ઓર્બિટર તમામ ચીજો કરશે જે લેન્ડર અને રોવર કરી શકતા નથી.
ચંદ્રયાન -2 પોતાના ધ્યેયમાં લગભગ 100 ટકા સફળતા મેળવી ચૂક્યું હતું. 2008માં ચંદ્રયાન 1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક એમ. અન્નાદુરઈએ કહ્યું કે ઓર્બિટર તમામ એવી ચીજો કરશે જે લેન્ડર અને રોવર કરી શકતા નથી. રોવરનો સર્ચ એરિયા 500 મીટરનો છો તો ઓર્બિટર 100 કિમીની ઉંચાઈથી પણ ચંદ્રનું મેપિંગ કરશે.