અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે તેવી શક્યતાને ધ્યાને રાખી એલર્ટની જાહેરાત કરવામાં આવેલ છે. ગરમીનાં કારણે અમદાવાદીઓને કાળજાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાનાં કારણે ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે. જેનાં કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે.
રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં પારો 43 સુધી પહોંચે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધી રહેલી ગરમીનાં કારણે અમદાવાદીઓને કાળજાળ ગરમી સહન કરવી પડશે. ઉત્તર-પશ્ચિમમાં ગરમ પવનો ફુંકાવાનાં કારણે ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે. જેનાં કારણે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં ગરમીનાં પ્રમાણમાં વધારો થઈ શકે છે.
અમદાવાદમાં પારો વધીને 43 ડિગ્રી સુધી વધી શકે તેવી શક્યતાને ધ્યાને રાખી એલર્ટની જાહેરાત કરવામાં આવેલ છે. અમદાવાદ ઉપરાંત આજે સુરેન્દ્રનગરમાં પણ પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તીવ્ર ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન પારો યથાવત રહેવાનાં સંકેત દેખાઇ રહ્યાં છે. એલર્ટની જાહેરાત પણ ગરમીને કારણે' સાવચેતીનાં પગલારૂપે કરવામાં આવી છે.
બીજી બાજુ રાજકોટમાં પણ મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી પહોંચી ગયું હતું. રવિવારે બપોરે જાહેર માર્ગો સુમસામ બની ગયા હતાં. લઘુતમ તાપમાન પણ 26.5 ડિગ્રી જેટલું ઉંચુ નોંધાયું હતું. ભેજમાં પણ નોંધપાત્ર વધારો થવાને કારણે ગરમી અકળાવનારી રહી હતી. ભાવનગરમાં પણ 39.4 ડિગ્રી મહતમ અને 28.8 ડિગ્રી જેટલું ન્યુનતમ તાપમાન નોંધાયું હતું. પવનની સરેરાશ ઝડપ 30 કિ.મી.ની હોવાને કારણે લોકો લુથી ત્રાહીમામ પોકારી ચૂક્યાં છે. રાજ્યભરમાં એક વાર ફરી જોરદાર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે હજી પણ આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઇ જ ફેરફાર થવાની શક્યતા નહીંવત દેખાઇ રહી છે.