સુરત સિવિલમાં કર્મચારીઓને છૂટા કરવા મામલે વિરોધ પક્ષે નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાની બીજી લહેર બાદ આગામી સમયમાં કોરોની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રાંમાં હોય તેવું લાગી રહ્યું છે. સુરત સિવિલમાં કોરોના કેસ ઓછા થતા કોવિડ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને છુટા કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કોરોનાની બીજી લહેરમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા કર્મચારીઓ રાત દિવસ ખડે પગે રહ્યા કામ કરી રહ્યા છે.પરંતું હવે આ કર્મચારીઓને છુટા કરતા કરવામાં આવતા વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે સુરતમાં આપ નેતા અને વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કર્મચારીઓને છુટા કરવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે.
સુરત સિવિલમાં સ્ટાફ ઘટાડવાનો નિર્ણય
હાલ સુરતમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે સુરત સિવિલમાં વર્ગ 4ના 400 કર્મચારીઓ, 46 ઓપરેટરો અને 10 લેબ ટેક્નિશિયનને છુટા કરવાનો સુરત સિવિલ સંચાલકોએ નિર્ણય કર્યો છે બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 513 કર્મચારીઓને પણ છુટા કરવાની વાત ચર્ચાઈ રહી છે. વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીને નારાજગી વ્યક્ત કરતા જણાવે છે કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે સરકાર આરોગ્ય સેવાક્ષેતે દુરસ્ત કાર્યવાહી કરવાને બદલે કર્મચારીઓને છુટા કરે છે તે કેટલું યોગ્ય છે? જ્યારે કોરોના સંક્રમણની ત્રીજી વેવ આવેશે ત્યારે શુ કર્મચારીઓને પાછા બોલાવાશે ? હવે પછી કોરોનાની સ્થિતિ વિકટ બની શકે છે.
કોરોનાની પરિસ્થિતિ વિકટ બનશે તો કોણ જવાબદાર?
સરકારની નીતિને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સ સાથે અન્યાય કેટલો યોગ્ય છે, કોરોનાના કેસ ઘટ્યા એટલે કર્મચારીઓને છૂટા કરી દેવાના તે પાછળ શુ કારણ છે ? શુ તંત્ર મહામારીમાં ફરજ બજાવતા કર્મચારીઓને આવી રીતે સાચવો છો ? કોરોના બીજી લહેરને હળવાશમાં લીધી એટલે તેના ગંભીર પરિણામો આવ્યા અને કેસમાં ધરખમ વધારો થયો, કોરોનામાં કોરોના વોરિયર્સ અનેક પરિવારોમાં સ્વજનો જીવ ગુમાવ્યો છે કર્મચારીઓને છુટા કરવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.