જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP સુપ્રીમો મહેબૂબા મુફતીના નજર કેદમાંથી મુક્ત થયા બાદ કાશ્મીરખીણમાં રાજનીતિક ગતિવિધિઓ તીવ્ર થઈ ગઈ છે. મહેબૂબા મુફતીએ આપેલા નિવેદનનો જમ્મુમાં ભાજપે PDP કાર્યાલય ઉપર તિરંગો ફરકાવીને વિરોધ કર્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં રાજનીતિક હલચલ તેજ
મહેબૂબાના નિવેદન બાદ ભાજપનો પલટવાર
જમ્મુમાં PDP કાર્યાલય પર તિરંગો ફરકાવ્યો
ભારતના રાષ્ટ્ર-ધ્વજને લઈને કરવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ભાજપ દ્વારા આજે તે નિવેદનનો ભરપૂર વિરોધ કરવામાં આવ્યો હતો, આ નિવેદનની પ્રતિક્રિયાના ભાગરૂપે જમ્મુ કાશ્મીરના વિવિધ ક્ષેત્રોમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી, શ્રીનગરમાં શેર એ કાશ્મીર કન્વેન્શન સેન્ટર સુધી રેલી કાઢવામાં આવી હતી જ્યારે કે જમ્મુમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિંદર રૈનાના નેતૃત્વમાં રેલી કાઢવામાં આવી હતી.
પોલીસે ભાજપ કાર્યકર્તાઓની અટકાયત કરી
જોકે આ દરમિયાન શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકવવા નીકળેલા ભાજપના કાર્યકર્તાએ પોલીસને પકડી લીધા અને 4 કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ગત દિવસોમાં મહેબુબા મુફ્તીએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી 370 નથી લાગતી ત્યાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નથી મળી જતો ત્યાં સુધી તિરંગો નહીં પકડે.
આ પહેલા રવિવારે ભાજપ ના વિદ્યાર્થી સંગઠન (ABVP)ના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય ધ્વજ પર વિવાદીત ટિપ્પણીને લઈને મુફ્તીની વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યુ હતુ. આજે પ્રદર્શનનો બીજો દિવસ છે. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કેટલાક યુવાઓ તિંરગો કારકાવી રહ્યા હતા. આ દરમિયાન મહેબુબાની વિરુદ્ધ નારે બાજી કરી હતી.
શું છે વિવાદ ?
ઉલ્લેખનીય છે કે મહેબૂબાએ મુક્ત થયા બાદ એલાન કર્યુ હતુ કે હું જમ્મુ કાશ્મીર ઉપરાંત બીજો કોઈ ઝંડો નહીં પકડુ, મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જે સમયે અમારો ઝંડો પાછો મળશે. તે સમયે ઝંડા તે (તિરંગા)ને પણ ઉઠાવીશું. પણ જ્યાં સુધી અમારો ઝંડો કે જેને ડાકુઓએ ડાકમાં લીધો છે. ત્યાં સુધી અમે કોઈ પણ ઝંડાને હાથમાં નહીં લઈએ.
પૂર્વ સીએમએ કહ્યું કે તે ઝંડો અમારો છે અમારા આઈનનો ભાગ છે અમારો ઝંડો તો આ છે અમારો સંબંધ આ ઝંડાએ બનાવ્યો છે. પીડીપી, નેશનલ કોન્ફેન્સ સહિત અનેક પાર્ટીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ મોર્ચો માંડી ફરી 370 લગાવવાની ફિરાકમાં છે.