રાજસ્થાન સરકારના એક નિર્ણયનો રાજસ્થાન અને ગુજરાતના લોકો વિરોધ કરી રહ્યા છે. વાસ્તવમાં રાજસ્થાન સરકારે બજેટમાં સાબરમતી અને સહી નદી પર 2 હજાર 554 કરોડના ખર્ચે 2 ડેમ બનાવાનો ઉલ્લેખ કર્યો છે. ડેમ બનવા પર રાજસ્થાન અને ગુજરાતના લોકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજસ્થાન સરકારના નિર્ણયનો રાજસ્થાન અને ગુજરાતમાં વિરોધ
રાજસ્થાન સરકારે 2 ડેમ બનાવવા બજેટમાં કર્યો ઉલ્લેખ
સાબરમતી અને સહી નદી પર 2 હજાર 554 કરોડના ખર્ચે 2 ડેમ બનાવાનો ઉલ્લેખ
ડેમ બનવા પર રાજસ્થાન અને ગુજરાતના લોકોની ઉગ્ર આંદોલનની ચીમકી
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે ગુજરાત રાજસ્થાન સરહદ પર 2 ડેમ બનાવવાનો નિર્ણય લીધો છે. અશોક ગેહલોતે રાજસ્થાનના બજેટમાં સાબરમતી નદી અને સહી નદી પર ડેમ બનાવવાનો ઉલ્લેખ કર્યો છે. આ ડેમ 2 હજાર 558 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ ડેમ બનાવવા માટે ઉદયપુર જિલ્લાના બુઝા તેમજ ચકસાંઢમારિયા ગામના લોકોને સ્થળાંતર કરવું પડશે. જેને કારણે ડેમથી અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ ડેમનો વિરોધ કર્યો છે.
રાજસ્થાન અને ગુજરાતના લોકોએ નિર્ણયનો કર્યો વિરોધ
રાજસ્થાનના લોકો સાથે ગુજરાતના લોકોએ પણ ડેમ બનાવવાના નિર્ણયનો વિરોધ શરૂ કર્યો છે. કારણ કે, સાબરમતી અને સહી રાજસ્થાનથી આવતી નદી છે અને આ નદીના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થઇ રહી છે. જેને કારણે ઉત્તર ગુજરાતના 7થી વધુ જિલ્લામાં પાણી મળી રહ્યું છે. જો આ 2 નદી પર ડેમ બનાવવામાં આવશે, તો તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો અને પીવાના પાણી પર થશે. સાથે 45 હજાર આદિવાસી પરિવાર તેમજ દોઢ લાખથી વધુ જન સંખ્યાનું વિસ્થાપન થશે. જેથી રાજસ્થાનના સ્થાનિક લોકો અને ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકોએ ડેમનો વિરોધ કર્યો છે.
'ગુજરાતમાં મોટું જળશંકટ પણ ઉભું થશે'
આ બે નદી પર ડેમ બનવાથી ગુજરાતમાં મોટું જળશંકટ પણ ઉભું થશે. જેથી સરહદ પરના ખેડૂતોએ ગુજરાત સરકારને ડેમની કામગીરી રોકવા અંગે વિનંતી કરી છે. સાથે રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવા પર રાજસ્થાનના સ્થાનિક અને ગુજરાતની સરહદ પરના ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિકોએ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પાઠવ્યું હતું આવેદન
ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્થાનિકોએ આ મામલે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. જેમાં આદિવાસીઓએ દાવો કર્યો હતો કે, ધરોઈ યોજના બની તે સમયે એક કરાર થયો હતો. જેમાં ધરોઈ ડેમ બને તેની આસપાસ અન્ય ડેમ ન બનાવવાનું નક્કી થયું હતું. ધરોઈ ડેમના 300 માઈલની આસપાસના વિસ્તારમાં ડેમ ન બનાવવાનો કરાર થયો હતો.
ડેમનો વિરોધ કેમ?
ધરોઈ ડેમ બનવા સમયે રાજસ્થાન સરકાર સાથે થયો હતો કરાર
ધરોઈ ડેમની આસપાસ અન્ય ડેમ ન બનાવવાનો કરાર
300 માઈલની આસપાસ બીજો ડેમ ન બનાવવા થયો હતો કરાર
રાજસ્થાન સરકારે કરારનું ઉલ્લંઘન કર્યું
રાજસ્થાન સરકાર 2 ડેમ બનાવવાનો પ્રસ્તાવ લાવી
ઉદયપુરના બુઝા અને ચકસાઢમારિયામાં ડેમ બનાવવાનો પ્રસ્તાવ
બન્ને ડેમ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર સર્જી શકે મુશ્કેલી
ગુજરાત અને રાજસ્થાનના સરહદી ગામડાઓને થઈ શકે ડેમની અસર
રાજસ્થાનથી સાબરમતી અને સહી નદીમાં આવે છે પાણી
બન્ને નદીનું પાણી ધરોઈ ડેમમાં ભળે છે
ડેમ બનવાથી ધરોઈ ડેમમાં પાણીની આવક થશે બંધ
ધરોઈ ડેમમાં પાણી આવતું અટકવા પર અમદાવાદમાં થઇ શકે છે અસર
ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને થશે અસર
પીવાના પાણીમાં પણ થશે અસર
રાજસ્થાનના સરહદી વિસ્તારને પણ થઈ શકે અસર
25થી વધુ ગામ અને 45 હજાર પરિવારને થઈ શકે છે અસર
ડેમ બનવા પર રાજસ્થાનના દોઢ લાખ લોકો થઈ શકે વિસ્થાપિત