રાજકોટમાં મહાનગર પાલિકા દ્વારા શહેરમાં શેરડીના ચીચોડાઓ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે ચીચોડા ધારકો માર્ગો પર ઉતરી આવ્યા છે. કમિશનરે રસ્તા પરના શેરડીના રસના ચિચોડા બંધ કરવા માટે આદેશ આપ્યો હતો. જેને પગલે ચિચોડા ધારકોએ વિરોધ નોંધાવ્યો છે. અને કોર્પોરેશનની ઓફિસે ચિચોડો લઈને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે ચિચોડા ધારકોને રોકવાનો પ્રયાસ કરતાં ચિચોડા ધારકોએ હોબાળો મચાવ્યો હતો. ચિચોડા ધારકોની માગ છે કે સરકાર એક તરફ કહે છે કે લોકો ધંધો રોજગાર કરે. પણ તમે અમારો ધંધો જ છિનવી લેશો તો કઈ રીતે અમે કામ કરીશું. અને કઈ રીતે ઘરના સભ્યોનું ભરણપોષણ કરીશું. જોકે હાલ તો મહાનગરપાલિકા બહાર સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા ચિચોડાને મંજૂરી આપવામાં આવે છે કે નહીં.