વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતાઓ પર નિશાન સાધ્યું હતું.
ગુજુરાતના કોંગ્રેસ સાંસદે પીએમ મોદીની કરી ટીકા
રાષ્ટ્રપતિના અભિભાષણ ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા પીએમ મોદી
પીએમ મોદીના ભાષણ પર વિપક્ષ નેતાઓએ કર્યો પલટવાર
પીએમ મોદીએ આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો અને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું, જો કે આના પછી વિપક્ષે પણ આનો જવાબ આપ્યો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે' અમને આશા હતી કે પીએમ મોદી ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કરશે, જેનો આટલો વિરોધ થઇ રહ્યો છે તેનો બધા જ પક્ષો સાથે વાતચીત કરીને પછી નવા કાયદા બનાવશે, જો કે તેમને નિરાશ કર્યા'
ટીએમસી નેતા બ્રાયન પર પીએમ મોદીના કટાક્ષનો જવાબ અપાયો
પીએમ મોદીએ આજે ટીએમસીના સાંસદ બ્રાયન પર કટાક્ષ કર્યો હતો, તેમણે કહ્યું હતુંકે જ્યારે તેઓ વાત કરી રહયા હતા ત્યારે લાગી રહ્યું હતું કે તેઓ બંગાળની તો વાત નથી કરી રહયા, આના પર ટીએમસી સાંસદ સૌગતો રોયે કહ્યું હતું કે તેઓ દેશની સ્થિતિ પર જ વાત કરી રહ્યા હતા, તેમણે કહ્યું કે દેશમાં લોકોના હક પર તરાપ મારવામાં આવી રહી છે, પહેલા કાશ્મીરમાં પછી નાગરિકતા સંશોધન કાયદામાં અને હવે દિલ્હીની સરહદો પર ઉભેલા ખેડૂતોના અધિકારો છીનવવામાં આવી રહયા છે. પીએમ મોદીએ બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી, પણ આપ્યું નહિ અને બંગાળમાં મમતા બેનર્જીએ 40 ટકા બેરોજગારી ઘટાડી છે.
પીએમ મોદીનું ભાષણ ભ્રામક હતું
કોંગ્રેસના ગુજરાતથી રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે જે રીતે આજે પીએમ મોદીએ ભાષણ આપ્યું તે શરમજનક હતું, અત્યાર શું મજાક યોગ્ય છે? જ્યારે દેશના ખેડૂતો આટલી પીડા સાથે સડક પર બેઠા છે ત્યારે પીએમ મોદીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, તે ખેડૂતો માટે શ્રદ્ધાંજલિના અમુક શબ્દો તો કહી જ શકતા હતા ને, ચીનનું તો નામ સુધ્ધા નથી લીધું.'
'અથવા તો તમે મારા રસ્તે, નહિ તો દેશદ્રોહી છો'
કોંગ્રેસના દિગ્ગ્જ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર કહ્યું કે, લોકતંત્રનો સાર માનવાધિકાર છે, અને ભાજપની આ નીતિ છે કે અથવા તો તમે મારા રસ્તે છો, નહિ તો દેશદ્રોહી છો, દુઃખની વાત છે કે પીએમ મોદી તે લોકોની સાથે સહમત નથી કે જે લોકો આંદોલનકારી છે, માનવાધિકારના કોઈ જ સીમાડા નથી હોતા.'