એક પ્રશ્નના લેખિત જવાબમાં નરેન્દ્ર તોમરે કહ્યું કે, 'આ મુદ્દાને હલ કરવા સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે અગિયાર તબક્કાની વાટાઘાટો થઈ છે, સરકાર કાયદામાં સુધારા માટે રાજી છે અને દરખાસ્તો આપી છે.'
કૃષિ કાયદા મુદ્દે સરકારનો જવાબ
સદનમાં ધાંધલ ધમાલને લીધે પ્રભાવિત થઈ કાર્યવાહી
મંગળવારે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી
મહત્વનું છે કે ભાજપની જ સહયોગી પાર્ટી JDU ના નેતા અને પૂર્વ રાજ્યસભા સાસંદ એવા કે સી ત્યાગીને સંયુક્ત કિસાન મોરચા દ્વારા વાતચીત માટે મધ્યસ્થી બનાવવામાં આવ્યા છે.
ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી
વિપક્ષી પાર્ટીઓ દ્વારા ત્રણ નવા કૃષિ કાયદા અંગેના આક્ષેપોના વિરોધ વચ્ચે, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે કહ્યું હતું કે સરકાર સંસદમાં અને સંસદ બહાર પણ ખેડૂતોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવા તૈયાર છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે અને અન્ય વિરોધી પક્ષોના સભ્યો દ્વારા વિવાદમાં ત્રણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગણી સાથે ભારે હોબાળો થતાં મંગળવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
નોંધપાત્ર વાત એ છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી હજારો ખેડૂતો છેલ્લા બે મહિનાથી વિવાદિત ત્રણ નવા ખેતી કાયદાને રદ કરવાની અને લઘુત્તમ ટેકાના ભાવની બાંયધરીની માંગ કરી રહ્યા છે. તોમરે લોકસભામાં કહ્યું, "સરકાર સંસદમાં અને બહાર ખેડૂતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે."
સુપ્રીમ કોર્ટે લગાવી છે અસ્થાયી રોક
બીજી તરફ, એક પ્રશ્નના લેખિત જવાબમાં તોમરે કહ્યું, "સરકાર અને આંદોલનકારી ખેડૂત સંગઠનો વચ્ચે આ મુદ્દાને હલ કરવા માટે વાટાઘાટોના અગિયાર તબક્કા થયા છે અને સરકારે કૃષિ કાયદામાં સુધારા અંગે અનેક દરખાસ્તો રજુ કરી છે." . તેમણે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કૃષિ સુધારણા કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. "ખરેખર, કૃષિ પ્રધાનનો જવાબ લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીના દાવા પછી આવ્યો, જેમાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે કાયદા સામેના પ્રદર્શનમાં 170 ખેડૂતો મૃત્યુ પામ્યા હતા.
કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડુતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિ બ્રિટિશ યુગ જેવી છે. જ્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, એસપી અને બસપાના સભ્યોએ વેલમાં ધસી આવ્યા ત્યારે અધ્યક્ષ ઓમ બિરલાએ અપીલ કરી કે તેઓએ તેમની બેઠકો પર પાછા જવું જોઈએ જેથી ગૃહની કામગીરી સામાન્ય રીતે થઈ શકે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે અમે ખેડૂતોના મુદ્દે વાટાઘાટ કરવા કટિબદ્ધ છીએ, પરંતુ આ માટે ગૃહને કોઈ વિક્ષેપ વિના ચલાવવું જોઈએ. જો ધાંધલ ધમાલ ન હોત તો ચર્ચા શરૂ થઈ ગઈ હોત.