ગાંધીનગર: વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ છે. વિપક્ષ દ્વારા અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ છે. વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે દરખાસ્ત રજૂ કરી હતી.
જો કે આ બાબતે કોંગ્રેસના 77 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું છે. આગામી 7 દિવસમાં અવિશ્વાસ પર ચર્ચા થશે. અત્યાર સુધીના ઇતિહાસમાં 18મી વખત અવિશ્વાસની દરખાસ્ત થઇ છે. ચર્ચાની તારીખ અને સમય સલાહકાર સમિતિ નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિરોધ નોંધાવતા વિધાનસભા સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ થોડા સમય પહેલા જ દાખલ કર્યો હતો.પરેશ ધાનાણીએ વિધાનસભા સચિવ સમક્ષ સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદીની વર્તણુકને લઈને અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો છે.