સંસદની કાર્યવાહી શરૂ થવા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે કે વિપક્ષ નંબરની ચિંતા છોડી દે, અમારા માટે તેમની ભાવના મૂલ્યવાન છે. સંસદમાં અમે પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષ રીતે કામ કરીશું. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે સદન ચાલશે તો જ દિશહિત માટે નિર્ણય લઇ શકાશે.
પીએમ મોદીએ કહ્યું કે આશા કરુ છું કે સર્વદળ સાથે આવે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય હોવુ જરૂરી છે. સંસદ સત્ર શરૂ થાય તે પહેલા નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ આંકડાની ચિંતા છોડે અને લોકોના મુદ્દા ઉઠાવે.
અમારા માટે તેમની ભાવનાઓ કિંમતી છે. સંસદમાં અમે પક્ષ વિપક્ષને છોડીને નિષ્પક્ષ કામ કરીશું. આશા છે કે આ સત્રમાં વધુમાં વધુ કામ થાય. તમામ પક્ષ સાથે આવે તે પણ જરૂરી છે. લોકતંત્રમાં વિપક્ષ પણ સક્રિય થાય તે ખૂબ જરૂરી છે. નવા સત્ર સાથે નવા ઉમંગ સાથે અને નવા સપનાઓ સાથે પણ જોડાય.
આઝાદી બાદ સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું છે. આઝાદી બાદ સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે. ત્યારે પીએમ મોદીએ જનતાનો આભાર માનતા કહ્યું કે, જનતાએ સેવાની તક આપી તે બદલ આભાર. સંસદ ચાલ્યું છે ત્યારે પણ દેશહિતમાં નિર્ણયો થયા છે. તમામ પક્ષો ઉત્તમ પ્રકારની ચર્ચા કરશે અને આશા રાખીએ જનહિતમાં નિર્ણયો આવે.
Prime Minister Narendra Modi arrives at the Parliament for 17th Lok Sabha, says, "Every word of the Opposition is important." pic.twitter.com/TxTVzQkOF2