દેશમાં કોરોના વાયરસ અને અમ્ફાન વાવાઝોડાના સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષોની બેઠક યોજાઇ હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા યોજાયેલ બેઠકમાં કેન્દ્ર સરકાર સમક્ષ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. આ સાથે જ સોનિયા ગાંધીએ બેઠકની શરૂઆતથી જ કોરોના સંકટને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સોનિયા ગાંધીએ વિપક્ષો સાથે યોજી વીડિયો કોન્ફરન્સ બેઠક
મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ દ્વારા રાજકોષીય પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂર હોવાની સલાહ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ 12 મેના રોજ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનું એલાન કર્યું એને ત્યારબાદ નાણામંત્રીએ પછીના 5 દિવસ સુધી તેનું વિવરણ કરીને દેશની સાથે ક્રૂર મજાક કરી હતી.
સોનિયાના સરકાર પર પ્રહાર
બેઠકમાં સોનિયા ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોરોનાને 21 દિવસમાં કરવાનો દાવો પોકળ નીકળ્યો છે. સરકારની પાસે લૉકડાઉનને લઇને કોઇ જ પ્લાન હતો નહીં. આ સાથે જ સરકારની પાસે કોરોના સંકટછી બહાર નીકળવા માટે કોઇ નીતિ નથી. સતત લૉકડાઉનનો કોઇ જ ફાયદો નથી. પરિણામ ખરાબ જ આવશે. કોરોના ટેસ્ટ અને PPE કીટના મોરચે પમ સરકાળ નિષ્ફળ નીવડી છે. અર્થવ્યવસ્થા ડામાડોળ થઇ ચૂકી છે. લૉકડાઉનના નામ પર ક્રૂર મજાક કરવામાં આવી રહી છે.
UPA चेयर पर्सन श्रीमती सोनिया गांधी जी की अगुवाई में विपक्षी दलों की Video Conferencing के द्वारा देश की बात। pic.twitter.com/d2E1geDrg1
21 દિવસમાં કોરોના દૂર કરવાની મોદી સરકારની માન્યતા ખોટી સાબિત થઇ
સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતમાં એવી આશા રાખી હતી કે 21 દિવસમાં કોરોના સંકટ દૂર થઈ જશે, જ્યારે તેમની માન્યતા ખોટી સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે સરકાર માત્ર તાળાબંધીના માપદંડો વિશે અનિશ્ચિત હતી, પણ તેની બહાર નીકળવાની કોઈ વ્યૂહરચના પણ નથી. આ ક્રમશ: લૉકડાઉનનાં પરિણામો પણ ખાસ જોવા મળ્યાં નથી.
ગરીબોમાં રોકડની વહેંચણી થવી જોઇએ : સોનિયા ગાઁધી
સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોરોના ટેસ્ટ અને ટેસ્ટીંગ કીટની આયાતને પણ ફટકો પડ્યો છે. લોકડાઉનથી ઉદ્ભવતા સંકટ અંગે કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ગરીબોમાં રોકડની વહેંચણી થવી જોઈએ, તમામ પરિવારોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવું જોઈએ, પ્રવાસી શ્રમિકોને તેમના ઘરે પાછા ફરવા માટે બસ અને ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈએ.
સંઘવાદની ભાવના ભૂલાવી દેવાઇ
તેમણે કહ્યું કે, કર્મચારીઓ અને નોકરીયાતોની સુરક્ષા માટે વેતન સહાયતા અને મજૂરી સંરક્ષણ નિધિ સ્થાપિત કરવી જોઇએ. સોનિયા ગાંધીએ PSUને વેચવા માટે લીલી ઝંડી આપવાની નિંદા કરી અને શ્રમ કાયદાને બહાલ કરવા માટેની અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે, તમામ શક્તિ હવે એક કાર્યાલય અને PMO તરફ કેન્દ્રીત થઇ ચૂકી છે. સંઘવાદની ભાવના જે આપણા સંવિધાનનો એક અભિન્ન હિસ્સો છે તેને ભૂલાવી દેવામાં આવી છે.
સપા, બસપા અને આમ આદમી પાર્ટી રહી દૂર
આપને જણાવી દઇએ કે, વિપક્ષમાં કેટલાય મોટા નેતાઓ સામેલ છે. જેમાં NCP અધ્યક્ષ શરદ પવાર, સીતારામ યેચુરી, તેજસ્વી યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન, અને શિવસેનાના સંજય રાઉત જેવા નેતાઓએ પોતાના દળનું પ્રતિનિધિત્વ કર્યું. જો કે, આ બેઠકમાં સપા, બસપા અને આમ આદમી પાર્ટીએ ભાગ લીધો નહોતો.