લોકસભા ચૂંટણીની વચ્ચે EVMનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પહેલા તબક્કાની વોટિંગ પછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોએ EVMની સાથે લગાવવામાં આવેલા VVPAT પર રિએક્શન ટાઇમ અને તેમાની નીકળતી સ્લિપ લઇને ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો છે કે, EVMની સાથે છેડછાડ કરવામાં આવી છે, જેના કરાણે VVPATમાંથી ખોટા નામની સ્લિપ નીકળી રહી છે. આ માટે વિપક્ષી દળો હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલો ઉઠાવવા માટેની જાહેરાત કરી છે.
Abhishek Singhvi, Congress, at Opposition's press conference: Questions were raised after the 1st phase of election,we don't think EC is paying adequate attention. If you press the button before X Party,vote goes to Y party. VVPAT displays only for 3 seconds, instead of 7 seconds pic.twitter.com/78qLE0QlZ7
'લોકતંત્ર બચાવો' નામથી રવિવારના કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ સહિતના ઘણા નેતાઓ દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા. આ દરમિયાન કોંગ્રેસના નેતા તથા વકિલ અભિષેક મનુ સિંધવીએ જણાવ્યુ કે, EVMમાં વોટ નાખાવા માટે બટન દબાવ્યુ તો તેના સાથે લાગેલા VVPAT મશીનથી નીકળી સ્લિપ માત્ર 3 સેકન્ડ માટે નજર આવી. સિંધવીએ કહ્યુ કે, ''આ સમય ઓછો છે, તેને વધારીને 7 સેકન્ડ કરી દેવો જોઇએ.''
આ સિવાય અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ કે, લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે જે પાર્ટીને વોટ આપ્યો છે, VVPATમાંથી નીકળેલી સ્લિપ તે પાર્ટીની જગ્યાએ બીજી પાર્ટીનુ નામ નીકળી આવ્યુ છે એટલે કે EVMમાં છેડછાડ કરવામાં આવી છે. અભિષેક મનુ સિંધવીએ કહ્યુ કે, ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યુ કે, જો અમે VVPATમાંથી નીકળેલી સ્લિપની ગણતરી થાય છે તો તે 5 દિવસ સુધીનો સમય લાગે છે. અમે ચૂંટણી પંચને કહ્યુ કે, ''ટીમ વધારવામાં આવે કેમકે 5 દિવસનો સમય ના લાગવો જોઇએ.''
તો બીજી તરફ AAPના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EVM છેડછાડનો મામલો ઉઠાવ્યો છે. કેજરીવાલે કહ્યુ કે, ''મશીનની અંદર ગરબડી નથી, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મશીનો એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે વોટ માત્ર ભાજપને જાય છે.'' કેજરીવાલે સવાલ ઉઠાવતા કહ્યુ કે, આમ કેમ થાય છે કે જે મશીનોમાં ખરાબીની ફરિયાદ આવે છે, તેના વોટ માત્ર ભાજપના પક્ષમાં જાય છે. હુ એન્જિનિયર છું, હું વસ્તુઓને સમજુ છુ, કે કંઇ પણ લોચા થયા છે.''