આજથી એટલે કે 14 સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જોકે, આ વખતે ચોમાસુ સત્રમાં સંસદની બેઠક વ્યવસ્થા અલગ પ્રકારની રહેશે. સેન્ટ્રલ હોલમાં માત્ર સાંસદોને જ એન્ટ્રી આપવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિને અંદર જવા માટે મંજૂરી આપવામાં નહી આવે.
આજથી સંસદ સત્રની શરૂઆત
નવા પ્રકારનું હશે સંસદનું ચોમાસું સત્ર
સેન્ટ્રલ હોલમાં સાંસદોને જ એન્ટ્રી આપવામાં આવશે
બીજા કોઈને વ્યક્તિને મંજૂરી નહીં આપવામાં આવે
આવી હશે સંસદના ચોમાસુ સત્રની વ્યવસ્થા
લોકસભા ચેમ્બરમાં 257 સભ્યની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે અને 172 સભ્યોની પ્રેક્ષક ગેલેરીમાં વ્યવસ્થા કરાઇ કરવામાં આવશે. તો રાજ્યસભા માટે 60 સભ્યોની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ રાજ્યસભામાં 51 સભ્યો માટે પ્રેશક ગેલેરીની વ્યવસ્થા કરવામાં આવશે.
આજથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓની કોશિશ રહેશે કે સંસદની અંદર અને બહાર સરકારને ઘેરવાના તમામ મુદ્દા પર એકતા દાખવે. આ કોશિશમાં મનોજ ઝાને રાજ્યસભામાં ઉપસભાપતિ માટે ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌઘરી પણ આ માટેના સંકેત આપી ચૂક્યા છે. આ સિવાય ડીએમકે, તૃણમૂલ પાર્ટી અને વામપંથી પાર્ટીઓ પણ વિપક્ષની સાથે એકતાની તૈયારી દેખાડી ચૂકી છે.
સત્રમાં કોઈ રજા રહેશે નહીં
આજથી શરૂ થનારું સંસદ સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલશે. સત્રમાં કોરોનાના પ્રોટોકોલનું ખાસ ધ્યાન રખાયું છે. આ સમયે કોઈ રજા રહેશે નહીં. સતત 18 બેઠક યોજાશે.
કોરોનાના કારણે અલગ અલગ સમય રહેશે
લોકસભાની કાર્યવાહી 14 સપ્ટેમ્બરથી સવારે 9.00થી બપોરે 1.00 સુધી ચાલશે. 15મીથી 1 ઓક્ટોબર સુધી આ સમય બપોરે 3.00થી સાંજે 7.00 સુધી લોકસભાની સદન બેસશે અને સાથે રાજ્યસભાની કાર્યવાહી પણ 14 સપ્ટેમ્બર બપોરે 3.00થી 7.00 સુધી ચાલશે. 15 સપ્ટેમ્બરથી સવારે 9.00થી 1.00 સુધી કામગીરી ચાલશે. લોકસભા અને રાજ્યસભાના ટાઇમિંગ કોરોનાને ધ્યાનમાં રસાખીને અલગ અલગ રખાયા છે.
કેવું હશે સંસદનું ચોમાસુ સત્ર?
કોરોનાને કારણે સાંસદોની બેઠક વ્યવસ્થામાં કરાયો ફેરફાર.