12 વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને કિસાન મોરચને પૂરો ટેકો આપ્યો છે. સમર્થન પત્રમાં હસ્તાંક્ષર કરનાર નેતાઓમાં પાંચ હાલના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે.
40 ખેડૂત આંદોલનના સંઘ સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાની સામે ચાલી રહેલા આંદોલનના છ મહિના પૂરા થવા પર 26 મેએ કાળો દિવસ મનાવવાનું આહવાન કર્યું છે. તેને 12 વિપક્ષી દળોએ ટેકો આપ્યો છે.
શું કહ્યું છે ખેડૂતોએ પીએમ મોદીને લખેલા પત્રમાં
મોર્ચાની તરફથી શુક્રવારે કહેવાયું કે તેઓએ સરકારે ખેડૂતો સાથે ફરી વાતચીત શરૂ કરવી જોઈએ. એસકેએમના એક નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્ત કિસાન મોર્ચાએ પીએમ મોદીને વાતચીત ફરી શરૂ કરવા અનુરોધ કરતો પત્ર લખ્યો છે. જેમાં ખેડૂત આંદોલનના અનેક પાસા અને સરકારના અહંકારી વલણનો ઉલ્લેખ છે. તેઓએ કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો ઈચ્છતા નથી કે કોઈ મહામારીની ઝપેટમાં આવે. સંઘર્ષને પણ છોડી શકે તેમ નથી કેમકે આ જીવન અને મૃત્યુનો સવાલ છે અને સાથે આવનારી પેઢીનો પણ.
પત્રમાં એમ પણ કહેવાયું છે કે કોઈ પણ લોકતાંત્રિક સરકાર આ 3 કાયદાને નિરસ્ત કરે છે જેને ખેડૂતોએ નકારી દીધા છે. જેના નામ પર આ બન્યા છે અને તેનો ઉપયોગ દરેક ખેડૂતોને એમએસપી પર કાયદાની ગેરેંટી માટે કરે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સરકારે આગેવાનના રૂપમાં, ખેડૂતોની સાથે એક ગંભીર અને ઈમાનદાર વાતચીતને ફરીથી શરૂ કરવાની જવાબદારી તેમના પર છોડી છે.