પેગાસસ જાસૂસી કાંડને લઈ સંસદમાં હજુ પણ જોરદાર હંગામો ચાલુ જ છે. વિપક્ષ તરફથી આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે.
પેગાસસ જાસૂસી કાંડના લીધે હંગામો યથાવત
14 વિપક્ષી દળો એકજુથ થયા
રાહુલ ગાંધીએ કરી હતી આ વાત
પેગાસસ જાસૂસી કાંડના લીધે હંગામો યથાવત
પેગાસસ જાસૂસી કાંડને લઈ સંસદમાં હજુ પણ જોરદાર હંગામો ચાલુ જ છે. વિપક્ષ તરફથી આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. આજે સત્રના કામકાજ પહેલા વિપક્ષી નેતાઓએ એક બેઠક કરી. આ બેઠકમાં 14 રાજનૈતિક પક્ષ સામેલ થયા હતા. આ બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પેગાસસ જાસૂસી કાંડને લઈ કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આ કાંડ મામલે સરકારે જવાબ આપવો જ પડશે.
માનવામાં આવી રહ્યું છે કે આ મામલાને લઈ 10 પક્ષોને બીજી પણ નોટિસ આપવામાં આવશે, જેના પર રાહુલ ગાંધી પણ સહી કરવાના છે. અત્યાર સુધી વિપક્ષ અલગ અલગ મુદ્દોમાં વહેંચાયેલું હતું, પણ હવે બધા જ પક્ષો પેગાસસ મુદ્દે વિપક્ષને ઘેરી રહ્યું છે. વિપક્ષની આ બેઠકમાં 14 દળો સામેલ થયા. જેમાં INC, DMK, NCP, SS, RJD, SP, CPIM CPI, NC, AAP, IUML, RSP, KCM, VCK પક્ષો સામેલ થયા.
14 વિપક્ષી દળો એકજુથ થયા
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સદન ચાલે અને પેગાસેસ મુદ્દે સંપૂર્ણ તપાસ પણ થવી જોઈએ. પેગાસસની કાર્યવાહી ઘણા દેશોમાં થઈ રહી છે તો પછી ભાજપ શું લેવા આ તપાસ આપણા દેશમાં નથી કરાવી રહ્યા? પ્રધાનમંત્રી મોદીન અને અમિત શાહે આ મુદ્દાની તપાસ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે પેગાસસ જાસૂસી કાંડને લઈ વિપક્ષ પહેલેથી જ કડક વલણ અપનાવી રહ્યું છે. જેના કારણે સંસદનું કામ પણ અટક્યું છે. આ મામલે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો પણ વિપક્ષ PM મોદી અને ગૃહમંત્રી પાસેથી જ જવાબ મળે તે વાત પર અટકી ગયા છે.
ગૃહમંત્રી રાજીનામું આપે
રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાંની માંગણી કરતાં કહ્યું હતું કે પેગાસસ એક એવું હથિયાર છે જેને ઈઝરાયેલ દ્વારા આતંકીઓ સામે લડવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ દેશના વડા પ્રધાન અને ગૃહમંત્રી એને રાજનૈતિક ફાયદો મેળવવા માટે ઉપયોગમાં લે છે જે તદ્દન ખોટું છે. તેની ન્યાયિક તપાસ થવી જોઈએ અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.