નાગરિકતા સંશોધન કાયદો CAA , રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર NRC અને યુનિવર્સિટીમાં થયેલી હિંસા પર વિપક્ષની આજે મહત્વપૂર્ણ બેઠક છે. કોંગ્રેસના નેતૃત્વમાં યોજાનારી આ બેઠકમાં બધા મુદ્દાઓ પરચર્ચા કરવામાં આવશે અને સરકાર વિરુધ્ધ આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. જો કે આ બેઠકમાં તૃણમુલ કોંગ્રેસ TMC અને બહુજન સમાજ પાર્ટી BSP એ સામેલ થશે નહીં.
સંસદ ભવનમાં પાર્લામેન્ટ એનેક્સીમાં મળનારી આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી JNU , જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી MMU માં થયેલી હિંસા રહેશે. આ મામલે કોંગ્રેસને ફેક્ટ ફાઇંડિંગ કમિટી પણ બનાવી હતી. આ કમિટી પોતાનો રિપોર્ટ આજે હાઇકમાન્ડને સોંપશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ CAA વિરુદ્ધ પ્રદર્શન અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહા કર્યા હતા.