સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. ત્યારે આ મહામારી વચ્ચે રાજ્યમાં દાનની સરવાણી વહેતી થઈ છે. તો સેવાની પણ સરવાણી વહેતી થઇ છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પશુઓને ઘાસચારો આપ્યો.
પરેશ ધાનાણી ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી નીકળ્યા
પરેશ ધાનાણીએ અમરેલીમાં પશુઓને આપ્યો ઘાસચારો
શહેરમાં ગાયોને પરેશ ધાનાણીએ નાખ્યો ઘાસચારો
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જરૂરિયાતમંદો માટે રાહત રસોડું ચાલુ કર્યુ છે. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં રાહત રસોડું ચાલુ કર્યું છે. ત્યારે હવે તેમણે શહેરના પશુઓની ચિંતા કરતા સેવાયજ્ઞ શરૂ કર્યો છે. અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી લૉકડાઉનમાં ટ્રેક્ટર પર નીકળ્યા હતા. પરેશ ધાનાણી સાથે અનેક લોકો આ સેવામાં જોડાયા હતા. મહત્વનું છે કે, પરેશ ધાનાણીએ જાતે ઘાસ કાપ્યું હતું. બાદમાં ટ્રેક્ટર ભરીને નિકળ્યા હતા.
વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્રેક્ટરમાં ઘાસચારો ભરી નીકળ્યા હતા. આ ઘાસચારો છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં ભૂખ્યા રખડતા પશુઓને આપ્યો છે. શહેરમાં અનેક ગાયોને પરેશ ધાનાણીએ ઘાસચારો નાખ્યો છે.
પરેશ ધાનાણીએ આ અંગે ફેસબુક પર પોસ્ટ પણ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "સેવાયજ્ઞ" અમરેલી શહેરમાં મૂંગા પશુઓ તથા ગાયમાતાને નિરણ-ઘાસચારો નાખ્યો. કોરોના વાયરસ સામે લડવા આપણે સૌ એક બનીએ, ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ.
મહત્વનું છે કે, થોડા દિવસ તેમણે અમરેલીના સ્લમ વિસ્તારમાં ભોજન પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે માટે અમે કામ કરી રહ્યા છીએ અને તમે પણ આ વાતનું ધ્યાન રાખજો. કોરોના વાયરસ સામે લડવા માટે સૌ એક બનીએ.