છેલ્લા 100 દિવસથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું છે.
સરકાર સંશોધન કરવા તૈયાર છે : તોમર
દેશના નુકસાનની કિંમત પર વિરોધ થવું જોઈએ? : તોમર
સરકાર ખેડૂતોની ભાવનાનું સન્માન કરે છે : તોમર
કૃષિ આંદોલનના 100 દિવસ પૂરા
કૃષિ આંદોલનને 100 દિવસથી પણ વધારે સમય થઈ ગયો છે અને સરકાર તથા ખેડૂતો વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે. એવામાં આંદોલન કેટલું લા,બુ ચાલશે તેનો કોઈ અંદાજ નથી ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ફરી મોટું નિવેદન આપ્યું છે.
તોમરે ફરી જૂનો રાગ આલાપ્યો
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે કહ્યું કે સરકાર આંદોલનકારી ખેડૂતોની ભાવનાઓનું સન્માન કરે છે અને ત્રણ કૃષિ કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારે ખેડૂત નેતાઑ સાથે 11 તબક્કાની વાતચીત કરી અને કૃષિ કાયદામાં બદલાવ કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શન પર ઉઠાવ્યા સવાલ
નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધે તે માટે ખેડૂતોને પોતાનો પાક ગમે ત્યાં વેચવાની છૂટ આપી છે. મંત્રીએ કહ્યું કે આ મુદ્દા પર કોઈ વાત કરવા તૈયાર નથી કે આ વિરોધ પ્રદર્શન ખેડૂતોના હીતમાં કઈ રીતે હોઇ શકે છે. તોમરે કહ્યું કે લોકતંત્રમાં અસહમતી હોઇ શકે છે અને વિરોધને પણ સ્થાન છે પણ શું વિરોધ તે કિંમત પર કરવું જોઈએ જેમાં દેશનું નુકસાન થાય?
ક્યારે આવશે સમાધાન
નોંધનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારમાં આંદોલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો રસ્તા જામ કરીને બેઠા છે અને આગામી સમયમાં આંદોલનને મોટું કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. હજારોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે ત્યારે હવે ખેડૂતો અને સરકાર વચ્ચે સમાધાનના કોઈ અણસાર દેખાતા નથી.