POKમાં આજે ઈમરાન સરકાર દ્વારા ગેરકાયદેસર મતદાન કરવામાં આવ્યું .જેમા ઈમરાન સરકારના કાર્યકરોએ ભારે હિંસા અને ગોળીબારી કરી હતી. જે ગોળીબારીમાં 2 લોકોના મોત થયા છે.
POKમાં ચૂંટણી વખતે હિંસા
ગોળીબારીમાં 2 લોકોના મોત
વિપક્ષે ભારતને બોલાવાની વાત કરી
POKમાં વિધાનસભા ચૂંટણી વખતે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના કાર્યકર્તાઓએ હિંસા કરી હોવાનું સામે આવ્યું છે. આ હિંસામાં બે લોકોના મોત પણ થયા છે. તેવી માહિતી સામે આવી છે. જ્યારે વિપક્ષના કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હિંસાને લઈને વિપક્ષ દ્વારાતો ભારતને બોલાવાની વાત પણ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર મતદાન
પાકિસ્તાનના વિપક્ષી દળે ઈમરાન સરકાર પર નીશાન સાંધતા કહ્યું કે તમારા કરતા તો ભારત સારુ કહેવાય તે કમસે કમ ચૂંટણી વખતે હિંસા નથી કરતું. POKની 45 વિધાનસભા સીટો પર પાકિસ્તાની સરકાર ગેરકાયેદસર રીતે મતદાન કરાવી રહી છે.
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 25, 2021
પોલીંગ બુથ પર ધમાલ
આ ચૂંટણીમાં મુખ્ય ટક્કર ઈમરાન ખાનની પાર્ટી પી.ટી.આઈ, નવાજ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ તેમજ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી વચ્ચે થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્તાના દમ પર ઈમરાન સરકારની પાર્ટીના કાર્યકરોએ પોલીંગ બુથ પર ધમાલ કરી હતી.
ભારતને બોલાવાની વાત
પીઓકેમાં ઈમરાન સરકારના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે ધમાલ કરવામાં આવી હતી. તેને લઈને નવાજ શરીફના પાર્ટીના ઉમેદવાર ઈસ્માઈલ ગુજ્જરે ભારતને બોલાવાની વાત કરી હતી. તેણે કહ્યું સરાકરે આ રીતે હિંસા ન ફેલાઈ જોઈએ નહીતો પરિસ્થિતી વધારે ખરાબ થઈ શકે છે. વધુંમાં તેમણે એવો પણ સવાલ કર્યો કે શું અમને ચૂંટણી લડવાનો હક નથી. જો આવી વાત હોય તો હું ઈન્ડિયાને બોલાવીશ. તે લોકો તમારા કરતા સારા છે કારણકે તેઓ આ કામ નથી કરતા.
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) July 25, 2021
5 પોલીસકર્મી ઘાયલ
ઉલ્લેખનીય છે કે મતદાન કેન્દ્ર પર પીટીઆઈના બે કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સાથેજ સમગ્ર બનાવને લઈને 5 પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે. હિંસાની ઘટનાઓને કારણે અન્ય ક્ષેત્રોમાં પણ મતદાન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જોકે સમગ્ર મામલે ઘણા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી છે.