વરૂણ ગાંધીએ 3જી ઓક્ટોબરનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે તાજેતરમાં સામે આવ્યો હતો અને લખ્યું હતું કે, આ વીડિયો એકદમ સ્પષ્ટ છે. હત્યા કરીને વિરોધીઓને શાંત કરી શકાતા નથી.
વરુણ ગાંધીએ દોષિતોને સખત સજા આપવાની માંગ કરી
ટ્વિટ કરીને નિદોર્ષ ખેડૂતો માટે ન્યાય માંગ્યો
વરુણ ગાંધીએ CM યોગીને પત્ર લખ્યો હતો
The video is crystal clear. Protestors cannot be silenced through murder. There has to be accountability for the innocent blood of farmers that has been spilled and justice must be delivered before a message of arrogance and cruelty enters the minds of every farmer. 🙏🏻🙏🏻 pic.twitter.com/Z6NLCfuujK
લખીમપુર ખીરીમાં 3જી ઓક્ટોબરે થયેલી હિંસક ઘટના બાદ ભાજપના સાંસદ વરુણ ગાંધી સતત ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. તેમણે આ સંદર્ભે યોગી સરકારને પત્ર પણ લખ્યો છે.અને પીડિત પરિવારોને ન્યાય અને દોષિતોને સજા આપવાની માંગ કરી છે. ગુરૂવારે વરુણે વધુ એક વીડિયો ટ્વીટ કરીને દોષિતોને સજાની માંગણી કરી હતી.
लखीमपुर खीरी में किसानों को गाड़ियों से जानबूझकर कुचलने का यह वीडियो किसी की भी आत्मा को झखझोर देगा।
पुलिस इस वीडियो का संज्ञान लेकर इन गाड़ियों के मालिकों, इनमें बैठे लोगों, और इस प्रकरण में संलिप्त अन्य व्यक्तियों को चिन्हित कर तत्काल गिरफ्तार करे।
વરૂણ ગાંધીએ 3 ઓક્ટોબરનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.જે તાજેતરમાં સામે આવ્યો હતો. અને લખ્યું હતું કે, આ વીડિયો એકદમ સ્પષ્ટ છે. હત્યા કરીને વિરોધીઓને શાંત કરી શકાતા નથી.નિર્દોષ ખેડૂતોના લોહીનો હિસાબ થવો જોઈએ અને ન્યાય થવો જોઈએ. આવો સંદેશ ખેડૂતોને ન જવો જોઈએ કે અમે ક્રૂર છીએ.
5 ઓક્ટોબરે આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી.
5મી ઓક્ટોબરે વરૂણગાંધીએ આવો જ એક વિડીયો ટ્વિટ કરીને શેર કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોને વાહનોથી જાણી જોઈને કચડી નાંખવાનો આ વીડિયો કોઈની પણ આત્માને હચમચાવી દેશે. પોલીસે આ વીડિયોનું ધ્યાન રાખવું જોઈએ અને આ વાહનોના માલિકો, તેમાં બેઠેલા લોકો અને આ કેસમાં સામેલ અન્ય વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ
लखीमपुर खीरी की हृदय-विदारक घटना में शहीद हुए किसानों को श्रद्धांजलि अर्पित करता हूँ। इस प्रकरण में उत्तर प्रदेश के मुख्यमंत्री जी से सख्त कार्यवाही करने का निवेदन करता हूँ। pic.twitter.com/e2tE1x4z3T