અમદાવાદ: વિદ્યાર્થીઓની વેદના વહિવટી સિસ્ટમ સુધી પહોંચાડવાની એક પધ્ધતી હોય છે. જો કે જે વિદ્યાર્થી નેતાઓ સીધી પધ્ધતીને અવગણીને શાળા-કોલેજોમાં રોફ જમાવે છે અને તોડફોડ કરે છે તે પધ્ધતી અયોગ્ય છે. આવી હરકતોથી પ્રતિષ્ઠીત સંસ્થાઓ બદનામ થાય છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પણ થાય છે.
આવી જ એક ઘટના અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલી ભવન્સ કોલેજમાં બનવા પામી હતી. જાણીતી કોલેજમાં આજરોજ ABVPના કાર્યકરોની દાદાગીરી સામે આવી હતી. ચાલુ લેક્કચરમાં ઘુસી જઈ ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના અંગેની જાણ થતાં સંસ્થાના આચાર્યા આવી પહોંચ્યા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રોકરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
જો કે કાર્યકરોએ પ્રોફેસર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. શિક્ષણના ધામમાં આવી હરકતોથી રાજ્યની છબી ખરડાય છે. જેનું ધ્યાન વિદ્યાર્થી નેતાઓ સહિત ઉપરી નેતાઓએ પણ રાખવું ખુબ જરૂરી છે.