પંજાબ સરકારે નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ ના દરવાજા ખખડાવવાનો નિર્ણય કર્યો છે, આ કમુદ્દે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે કહ્યું હતું કે " પાકિસ્તાનની ISI એજન્સી હાલની પરિસ્થિતિનો લાભ ઉઠાવી શકે છે"
પંજાબ સરકાર નવા ખેડૂત કાયદાઓ વિરુદ્ધ સુપ્રીમમાં જશે
સંસદ બાદ રાષ્ટ્રપતિએ પણ આપી દીધી છે નવા કાયદાઓને મંજૂરી
પંજાબ CM એ કહ્યું," ISI માટે પંજાબના ખેડૂતો સરળ શિકાર બનશે"
આ કાયદાઓ વિરુદ્ધ ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ એ કહ્યું કે " કેન્દ્ર સરકાર પાસે આ પ્રકારનો કોઈ અધિકાર નથી, કૃષિનો મામલો એ રાજ્યોની બાબત લેખાય, આ મુદ્દે અમે સુપ્રીમ કોર્ટ જવાના છીએ"
Punjab CM Captain Amarinder Singh holds a sit-in protest against the against #FarmBills (now laws) at Khatkar Kalan in Shaheed Bhagat Singh Nagar.
The Chief Minister also paid tribute to Bhagat Singh on the latter's birth anniversary. pic.twitter.com/NXuYyRclBQ
રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ સંસદમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ બિલ ને મંજૂરી આપી દીધી છે. આ પછી, આ કાયદા બની ગયા છે. દેશભરના વિરોધી પક્ષો અને ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ એ કહ્યું છે કે તેમની સરકાર આ કૃષિ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ માં જવાની કાર્યવાહી કરશે. ગત સપ્તાહે સંસદ માં પસાર થયેલા કૃષિ બિલ ના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા દેશભરમાં દેખાવો ચાલુ છે.
"પાકિસ્તાની એજન્સી ISI હાલની સ્થિતિનો લાભ લઈ શકે છે": પંજાબ CM
કૃષિ બિલ સામે વિરોધ પ્રદર્શન અંગે મુખ્યમંત્રી અમરિંદરસિંહ એ કહ્યું છે કે " પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દેશની વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. તેમનું કહેવું છે કે ISI માટે ખેડૂતો સરળ શિકાર બની શકે છે.
સોમવારે આ કાયદાઓના વિરોધમાં ધરણા પર બેઠેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ એ કહ્યું કે સરકાર પાસે આ પ્રકારનો કોઈ અધિકાર નથી, તેઓએ કૃષિ અંગે કોઈ કાયદો લાવવો જોઈએ કારણ કે તે રાજ્યની વાત છે. અમે તેની સામે સુપ્રીમ કોર્ટ માં અપીલ કરીશું"
''શું કેન્દ્ર દરેક ભારતીયને ખવડાવવવાની જવાબદારી લેશે?'' : મુખ્યપ્રધાન
મુખ્યમંત્રી અમરિંદરસિંહ એ કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિને સમજી નથી શકી, તેથી તે એ પણ સમજી શક્યા નહીં કે ખેડૂતો શું વિરોધ કરી રહ્યા છે. પંજાબના ગરીબ ખેડૂતો રાષ્ટ્રને ખવડાવે છે. શું દરેક નાગરિકને ખવડાવવાની જવાબદારી કેન્દ્ર સરકાર લઈ શકે છે?"