હાર્દિક પટેલે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે આ અંગે પાટીદાર આંદોલન વખતે હાર્દિક સાથે જોડાયેલા સાથીઓએ પ્રતિક્રિયાઓ આપી
પાટીદાર આંદોલન વખતે હાર્દિક સાથે જોડાયેલા સાથીઓએ પ્રતિક્રિયાઓ આપી
નારાજગી બાદ હાર્દિક પટેલે આજે આપ્યું હતું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
અલ્પેશ કથિરીયા સહિત બે નેતાઓ સમર્થન કર્યુ બાકીનાએ વિરોધ કર્યો
હાર્દિક પટેલે આજે જે નિર્ણય લીધો છે. હું તેની તરફેણમાં છું.- અલ્પેશ કથીરિયા
હાર્દિક પટેલના એકા એક કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદ પરથી રાજીનામું આપતાં ગુજરાતના રાજકારણમાં ભારે રાજકીય હલચલ મચી જવા પામી છે. ત્યારે આ અંગે અલ્પેશ કથિરીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે આજે જે નિર્ણય લીધો છે. હું તેની તરફેણમાં છું. હાર્દિક ભાજપમાં જાય તેની સાથે કોઈ વાંધો નથી. પણ સમાજની માંગણી સંતોષાય તે જરૂરી છે. આ સાથે તેઓ ઉમેર્યું હતું કે, મારી હાર્દિકની સાથે 2 દિવસ પહેલાની મુલાકાત થઈ હતી. જેમાં રાજીનામુ આપવાની કોઈ વાત નહોતી. તે સમયે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જવાબદારી પ્રમાણે પક્ષમાં માન-સન્માન ન જળવાતુ હોવાની વાત કરી હતી.
વરુણ પટેલે કહ્યું, ભાજપના કાર્યકરો હાર્દિકનો સ્વીકાર નહીં કરે
હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડવા અંગે નિર્ણય અંગે વરુણ પટેલે જણાવ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડે છે તે વાત તો ફિક્સ જ હતું, તેમણે છોડ્યું ન હોત તો તેઓને કોંગ્રેસમાંથી કાઢી નાંખવામાં આવ્યા હોત. જો તેઓ ભાજપમાં આવવાના હોય તો મને નથી લાગતું કે કોઈ કાર્યકર તેમનો સ્વીકાર કરે, હાર્દિકના ભાજપમાં જોડાવાની વાતો પાયાવગરની છે. જેને જ્યા જવુ હોય ત્યા જાય. ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી. જોકે હાર્દિક અંગેનો નિર્ણય તો મોવડી મંડળ જ છે.
હાર્દિક જો ભાજપમાં જોડાશે તો સમાજના રોષનો સામનો કરવો પડશે- લાલજી પટેલ
SPGના લાલજી પટેલે હાર્દિક પટેલના રાજીનામાં પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક જો ભાજપમાં જોડાશે તો સમાજના રોષનો સામનો કરવો પડશે. હાર્દિકે સમાજના હિત માટે આંદોલન કર્યું ત્યારે લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. અમે કોઈ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા ન હતા પણ જ્યારે હાર્દિક કોંગ્રેસમાં જોડાયો એને લઇ સમાજ દુઃખી થયો હતો. સમાજે અમારા પર ભરોસો મુકવાનું બંધ કરી દીધું હતું. અમે રાજકીય પાર્ટીમાં ન જોડાયા છતાં અમારે સમાજનું સાંભળવું પડ્યું હતું. આમ હાર્દિક સમાજના 2 મુદ્દાઓ ભૂલી રાજકારણમાં જોડાયો
હાર્દિક પટેલના રાજીનામાં પર પૂર્વ PASS સાથી દિલીપ સાબવાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામાં બદલ શુભેચ્છા છે. કોંગ્રેસ કાચનું મકાન છે તેમાં કોઈ રહી નથી શકતું .આંદોલનથી 2017માં કોંગ્રેસમાં બનેલા નેતાઓ અને ધારાસભ્ય પણ કોંગ્રેસ છોડશે.જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ધારાસભ્ય ભાજપમાં જોડાશે.
હાર્દિક પટેલના રાજીનામાં પર મનોજ પનારાનું નિવેદન
મનોજ પનારાએ કહ્યું હતું કે, હાર્દિકે બે-ત્રણ મહીના પહેલા જ ભાજપમાં જવાનું નક્કી કરી લીધું હતું. મેં અગાઉ પણ કહ્યું હતું કે, હાર્દીક ભાજપમાં જોડાશે. આજે મારી આ વાતની પુષ્ટી થઇ ગઈ છે. હાર્દિકને ઘણા સમયથી તેને સત્તાની લાલચ છે. હાર્દિકનું કોંગ્રેસના નેતાઓને બદનામ કરી અને ભાજપમાં જવાનુ ષડયંત્ર હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલનું ભાજપમાં અગાઉ ગયેલા નેતા જેવા જ હાલ થશે. હાર્દિકે સત્તાની લાલચ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેમ નિર્ણય લીધો
હાર્દિક પટેલના રાજીનામાં અંગે લલિત વસોયાનું નિવેદન
હાર્દિકને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ આપ્યું હતું. મહત્વનું પદ આપવા છતાં પણ નારાજગી વ્યક્ત કરે તે આશ્ચર્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, હાર્દિકનું ભાજપમાં જવાનું મન હોઈ તેવું લાગી રહ્યું છે. હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું. મહત્વનું છે કે, હાર્દિક પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતાં. લોકશાહીમાં બધા પોતાના નિર્ણયો લઈ શકે છે. હાર્દિકે જોઈ વિચારી નિર્ણય કર્યો હશે. ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના
હાર્દિકના નિવેદનોથી કોંગ્રેસ સાથેનું અંતર સ્પષ્ટ જણાતું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લે રવિવારે જ ખોડલધામમાં પાસ આગેવાન અને નરેશ પટેલ સાથેની બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું મહત્વનું છે કે, હાર્દિકના છેલ્લા કેટલાક દિવસના નિવેદનોથી પણ કોંગ્રેસ સાથેનું અંતર સ્પષ્ટ જણાતું હતું.ખાસ કરીને રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું.આ સાથે રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.