જામનગરઃ આ વર્ષે ઓછા વરસાદને લઇને ખરીફ પાક નિષ્ફળ થવાની અણીએ છે. જેને લઇને જીલ્લાના ત્રણ તાલુકાના ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે. નાની સિંચાઈ યોજનાનું પાણી ખેડૂતોને આપવાને બદલે ખાનગી કંપનીને આપી દેવામાં આવે છે.
જેના કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ ડેમ સાઈટ પર પહોંચી હોબાળો કર્યો હતો. જેથી તંત્ર દ્વારા હાલ પુરતી પાણી ઉપાડ કામગીરી પર બંધ કરી છે.
વરસાદની અછતના કારણે પાક પર સંકટ તોળાઈ રહ્યું છે. જેથી સિંચાઈનું પાણી પૂરું પાડવાની ખેડૂતોએ માંગણી કરી હતી. ખેડૂતોને હાલ એક માત્ર ડેમ પર આશા બંધાઈ હતી.
પરંતુ ખેડૂતોની આ રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં ન આવી. જેથી ખેડૂતો આક્રોષે ભરાયા. ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અન્યાયને બંધ નહીં કરાય તો મરી જવા સુધીનું આંદોલન કરવામાં આવશે.