મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જ વકીલને કહી કરાવ્યું હતું સ્ટિંગ
1800 દસ્તાવેજ કરવા 72 લાખની લાંચ માંગી હતી: વકીલ
અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમા થતો ભ્રષ્ટાચાર છતો થયા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં આવી ગયા છે. હાઈકોર્ટ વકીલના આરોપો બાદ રાજેન્દ્ર ત્રિવેદી ખુદ સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ પહોંચી અધિકારીઑના ક્લાસ લીધા હતા. તેમજ મોટી કાર્યવાહીના ભાગરૂપે સ્ટેમ્પ ડ્યુટી ઓફિસના તમામ કર્મચારીઓની બદલીના આદેશ કરી સાંજ સુધીમાં તમામ કર્મચારીઓની બદલી કરવા ઓર્ડર આપી દીધા હતા.
મહેસૂલ મંત્રીએ જ સ્ટિંગ કરવાનું કહેલું: હાઇકોર્ટ વકીલ દિપેન દવે
અમદાવાદના પોલિટેકનિક ખતે સ્ટેમ્પ અને મૂલ્યાંકન ઓફિસ છે. ત્યાં રોજના આશરે અમદાવાદના 1000 દસ્તાવેજ મૂલ્યાંકન માટે આવે છે. એની અંદર અધિકારી અને તેમના મળતીયાઑ ખાનગી માણસને ત્યાં રાખતા હોય છે. અને એક દસ્તાવેજે 5000 થી 10,000 સુધીની માગણી કરાતી હોય છે. આમ રોજનો લાખો રૂપિયાનો ત્યાં ભ્રષ્ટાચાર થતો હોય છે.
સ્ટેમ્પ ડયુટી કચેરી પર વોચ રાખવા રાજેન્દ્ર ત્રિવેદીનો આદેશ હતો: વકીલ
આવા લાંચિયા અધિકારીની જાણ મહેસૂલ મંત્રીને થતાં તેમણે અમોને કહ્યું હતું કે આવો ભ્રષ્ટાચાર થાય છે પરંતું આની કોઈ લેખિત ફરિયાદ આવતી નથી કે કોઈ પુરાવા પણ આવતા નથી. આથી સ્ટેમ્પ ડયુટી કચેરી પર વોચ રાખવા મને કહ્યું હતું.
1800 દસ્તાવેજ માટે મારી પાસે લાંચ માંગી: દિપેન દવે, એડવોકેટ, હાઇકોર્ટ
વધુ માં વકીલે કહ્યું કે મારે પણ દસ્તાવેજની નોંધણી કરાવાની હોય છે. એક બે સોસાયટીના દસ્તાવેજ સામટા કરાવવાના હોય છે. હું એમની સાથે એ બાબતે વાતચીતમાં ગયેલો ત્યારે એમના મળતીયા દ્વારા એક દસ્તાવેજના 7000 રૂપિયા લેખે માગણી કરેલી જ્યારે એમને મે કીધું કે મારી પાસે 1800 દસ્તાવેજ છે. તે બાદ તે મળતીયા સાહેબ પાસે ગયેલા અને સાહેબે પણ ઈશારાથી વાત કરેલી કે 1 દસ્તાવેજના 4000માં કામ પતી જશે. આવી રીતે મારી પાસે લાંચની માંગ કરી હતી.
ગુજરાતના વકીલોને અપાયા છે આદેશ
એમણે એ આ ઓફિસની અંદર ટાઉતો દ્વારા ખાનગી વ્યક્તિઓ જે સરકારી અધિકારીની મેળાપી પણામાં જે આ ભ્રષ્ટાચાર ચાલતો હતો તે બાબતે એક મુહિમ મંત્રીના આદેશ બાદ ઉપાડવામાં આવી હતી. સાથે જ રાજ્યના ઘણા વકીલોને સૂચના આપેલી છે કે તમારા ધ્યાનમાં જો કોઈ આવી રીતે ભ્રષ્ટાચાર કરતું હોય તો તેણે બહાર લાવો. તેના પર કાર્યવાહી થશે તેવી રાજેન્દ્ર ત્રિવેદીએ ખાતરી આપી છે.
લાંચિયા સરકારી અધિકારી સાથે વકીલની સાંઠગાંઠ હશે તો કાર્યવાહી થશે
ઓપરેશન લાંચ સફળ રીતે પાર પાડયા બાદ વકીલે કહ્યું કે હું તમામ મારા વકીલ મિત્રોને અપીલ કરું છું કે જો કોઈ પણ વિભાગની અંદર જો આવી રીતે ભ્રષ્ટાચાર કરી ખોટા રૂપિયા લેવાતા હોય તો આપણે વકીલ છીએ આપણી આ ફરજ છે. સરકારી અધિકારી તરફ ઝુકાવ ન રખાતા આપણે આવા સૌ અધિકારીને ઉઘાડા પાડીએ. સાથે જ ચેતવણી આપતા ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈ વકીલ પણ સરકારી અધિકારી સાથે આવી રીતે સાંઠગાંઠ ધરાવતો હોય તો તેના પણ કાર્યવાહી થાય છે અને હવે કડક થશે.
કર્મચારીઑ પર તવાઈ બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું?
રાજેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું છે કે આ સ્પષ્ટ ભ્રષ્ટાચારનો કેસ છે, કોઇ પણ સરકારી કર્મચારી આવું કરે તે નહી ચલાવી લેવાય, અધિકારી પુરેપુરો પગાર લે છે તે ખોટુ કરે તો સાંખી પણ લેવાશે નહીં. કર્મચારીઓએ કબૂલ કર્યું છે કે અહી વધારાના માણસો બેસતા હતા આથી જો હજુ પણ કોઈ અધિકારી કો-ઓપરેટ નહી કરે તો તેમની સામે કાર્યવાહી થશે.
પંકજ શાહ અને રાજુ પારેખ નામના શખ્સો સામે ફરિયાદ કરાશે કારણ કે ખાનગી વ્યક્તિઓ હોવા છતાં સરકારી કર્મચારીની જેમ કચેરીમાં બેસતા હતા. આ એજ મળતીયા હોય શકે જે અધિકારીઑ માટે લાંચનું સેટિંગ કરતા.