બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ઓપરેશન સિંદૂરમાં 100થી વધારે આતંકીઓનો ખાત્મો, જવાબી કાર્યવાહીથી ખુશ રાહુલ ગાંધીએ કહ્યું 'સેના...'
Last Updated: 09:42 AM, 7 May 2025
Operation Sindoor : ભારત દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે.
ADVERTISEMENT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ! રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે.
Proud of our Armed Forces. Jai Hind!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025
ADVERTISEMENT
તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને Pok માં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતને બિરદાવીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાના દિવસથી કોંગ્રેસ સરહદ પારના આતંકવાદ સામે કોઈપણ નિર્ણાયક કાર્યવાહી કરવામાં સશસ્ત્ર દળો અને સરકારની સાથે ઉભી રહી છે. તેમનું કહેવું છે ક, એકતા એ સમયની માંગ છે અને કોંગ્રેસ આપણા સશસ્ત્ર દળોની સાથે ઉભી છે. આપણા નેતાઓએ ભૂતકાળમાં રસ્તો બતાવ્યો છે અને આપણા માટે રાષ્ટ્રીય હિત પ્રથમ આવે છે.
India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK.
— Mallikarjun Kharge (@kharge) May 7, 2025
We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage.
Since the day of the…
9 આતંકવાદી છાવણીઓનો નાશ કરાયો
હકીકતમાં ભારતે મંગળવારે મોડી રાત્રે હવાઈ હુમલા કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી. આ એક લક્ષ્યાંકિત માપેલ અને બિન-ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઓપરેશન સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત પ્રયાસ તરીકે કરવામાં આવ્યું હતું જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, ભારતીય હુમલામાં 6 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો અને આઠ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, અમને તેનો યોગ્ય જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.
મધ્યરાત્રિએ પાકિસ્તાનમાં અરાજકતા
આ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતના હુમલાઓએ લાહોર, પંજાબથી પીઓકે સુધી ગભરાટ ફેલાવ્યો. ભારતીય મિસાઇલ વિસ્ફોટોના કંપન ઇસ્લામાબાદ સુધી અનુભવાયા. ભારતીય વાયુસેનાએ આ હુમલો કર્યો. રાફેલ અને સુખોઈએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા હતા. આ ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ કમાન્ડ NSA અજિત ડોભાલ પાસે હતી. ઓપરેશન સિંદૂરનો આદેશ અજિત ડોભાલે આપ્યો હતો. જોકે પીએમ મોદી આખી રાત જાગતા રહીને તેના પર નજર રાખી રહ્યા હતા. અજિત ડોભાલ દરેક ક્ષણે આ ઓપરેશન વિશે સતત માહિતી આપી રહ્યા હતા. ભારતના આ હુમલાની ખાસ વાત એ છે કે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા.
7 મે ઓપરેશન સિંદૂર
ઓપરેશન સિંદૂરનો પાયો NTRO એટલે કે નેશનલ ટેકનોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાખવામાં આવ્યો હતો. તેનું કામ પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓને ઓળખવાનું હતું. આ સ્થળો પર દેખરેખ રાખવામાં આવી હતી. આ પછી એક યોજના બનાવવામાં આવી. પાકિસ્તાન પર હુમલો કરવાનો છેલ્લો કોલ NSA અજિત ડોભાલે લીધો હતો. પીએમ મોદીએ તેને મંજૂરી આપી. આ પછી 7 મેની રાત્રે લગભગ 1 વાગ્યે પાકિસ્તાન રાખ થઈ ગયું. ભારતે મુરિદકે, મુઝફ્ફરાબાદ અને કરાચીમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઓપરેશન સિંદૂરનું નામ એ મહિલાઓના સિંદૂરથી પ્રેરિત હતું જેમના પતિ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. હિમાંશી નરવાલ અને શુભમની પત્નીના સિંદૂરનો હિસાબ હવે મળી ગયો છે.
કેવી રીતે કરાયું ઓપરેશન સિંદૂરનું પ્લાનિંગ?
વધુ વાંચો : Photos: હવે જોઇએ છે પુરાવો? તો એકવાર એર સ્ટ્રાઇકના આ ફોટોઝ પર નજર મારી લેજો
આતંકીઓને શોધવામાં ભારત સફળ
NTRO શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.