બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Video: આ છે ભારતીય આર્મીનો પાવર, જુઓ એક બાદ એક આતં*કીઓના લોન્ચ પેડ કેવી રીતે રાખ કરી નાખ્યાં?
Last Updated: 12:52 PM, 10 May 2025
Operation Sindoor : ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. વાસ્તવમાં ભારતીય સેનાનું 'ઓપરેશન સિંદૂર' ચાલુ છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી ભારતીય સેનાએ હવે સરહદ નજીક સ્થિત આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવાનું શરૂ કરી દીધું છે.
ADVERTISEMENT
આ વીડિયોની પૃષ્ઠભૂમિમાં, 'કદમ કદમ બધાયે જા, ખુશી કે ગીત ગાયે જા... યે જિંદગી હૈ કૌમ કી, તુ કૌમ પે લુટાયે જા' ગીત વાગી રહ્યું છે અને ભારતીય સૈનિકો ભારે તોપમારોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો એક પછી એક નાશ કરી રહ્યા છે.
Video: આ છે ભારતીય આર્મીનો પાવર, એક બાદ એક આતં*કીઓના લોન્ચ પેડ રાખ કરી નાખ્યાં#indiapakistanwar #OperationSindoor #OperationSindoor2 #BIGBREAKING #indiaattackpakistan #IndiaPakistanConflict #IndiaPakistanTensions #indianarmy #VTVDigital pic.twitter.com/jAk1wmGR9f
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2025
ADVERTISEMENT
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. 08 અને 09 મે 2025 ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર સંકલિત હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીથી આતંકવાદી માળખા અને ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો છે.
વધુ વાંચો : ભુજ-જામનગર સહિત દેશના 32 એરપોર્ટ બંધ, આ તારીખ સુધી કોઈ ફ્લાઇટ્સ નહીં ઉડે
'કદમ કદમ બધાયે જા...', જે વંશીધર શુક્લા દ્વારા લખાયેલ અને રામ સિંહ ઠાકુરી દ્વારા રચિત છે તે એક દેશભક્તિ ગીત છે જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળના આઝાદ હિંદ ફોજના લડવૈયાઓ દ્વારા ગાયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી 1942 માં અંગ્રેજોએ આ ગીતને રાજદ્રોહ ગણાવીને ભારતમાં પ્રતિબંધિત કરી દીધું હતું. ઓગસ્ટ 1947માં દેશની આઝાદી પછી આ ગીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને ત્યારથી તે ભારતમાં એક લોકપ્રિય દેશભક્તિ ગીત બની ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.