બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભુજ-જામનગર સહિત દેશના 32 એરપોર્ટ બંધ, આ તારીખ સુધી કોઈ ફ્લાઇટ્સ નહીં ઉડે

ઓપરેશન સિંદૂર / ભુજ-જામનગર સહિત દેશના 32 એરપોર્ટ બંધ, આ તારીખ સુધી કોઈ ફ્લાઇટ્સ નહીં ઉડે

Last Updated: 12:21 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor : DGCA અને AAI દ્વારા જાહેર કરાયેલ નોટિસ ટુ એરમેન (NOTAM) હેઠળ લેવામાં આવ્યો મોટો નિર્ણય, સુરક્ષાના ભાગરૂપે ભારતમાં 32 એરપોર્ટને આ તારીખ સુધી બંધ કરવાનો નિર્ણય

Operation Sindoor : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે એક મોટું સુરક્ષા પગલું ભર્યું છે અને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 32 એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા જાહેર કરાયેલ નોટિસ ટુ એરમેન (NOTAM) હેઠળ લેવામાં આવ્યો છે.

DGCAના જણાવ્યા અનુસાર આ એરપોર્ટ પરથી તમામ પ્રકારની નાગરિક ઉડાન સેવાઓ 9 મે થી 14 મે, 2025 સુધી (ભારતીય સમય મુજબ 15 મે સવારે 5:29 વાગ્યા સુધી) અસ્થાયી રૂપે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ નાગરિક વિમાન જમીનની સપાટીથી અમર્યાદિત ઊંચાઈ સુધી ઉડી શકશે નહીં. આ પ્રતિબંધો ફક્ત સુરક્ષા અને સંચાલનના કારણોસર લાદવામાં આવ્યા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે, આ નિર્ણય કોઈપણ સંભવિત હવાઈ ખતરો, ખાસ કરીને ડ્રોન હુમલાઓ સામે રક્ષણ આપવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. પાકિસ્તાનની સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર 26 સ્થળોએ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે જેમાંથી કેટલાક સ્થળોએ દારૂગોળો હોવાની શંકા છે. આ ડ્રોનનો સંભવિત હેતુ ભારતના લશ્કરી થાણાઓ અથવા વ્યૂહાત્મક નાગરિક સ્થળોને નુકસાન પહોંચાડવાનો હોઈ શકે છે.

કયા એરપોર્ટ બંધ રહેશે ?

અસરગ્રસ્ત એરપોર્ટમાં અમૃતસર, શ્રીનગર, જમ્મુ, અવંતિપુરા, હિંડોન, અંબાલા, ચંદીગઢ, પઠાણકોટ, જોધપુર, જેસલમેર, ભુજ, બિકાનેર, લેહ, શિમલા, કુલ્લુ અને ઘણા બધા એરપોર્ટ શામેલ છે. આ એરપોર્ટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, તે બધા સરહદી અથવા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાં સ્થિત છે જ્યાં ફ્લાઇટ્સ માટે સંભવિત ખતરો સૌથી વધુ છે. ઉપરાંત દિલ્હી અને મુંબઈમાં આવતા 25 મુખ્ય હવાઈ ટ્રાફિક સેવા રૂટ FIR (ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન) પણ બંધ કરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈપણ લશ્કરી અથવા કટોકટીની પરિસ્થિતિમાં હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે સૈન્યના નિયંત્રણ હેઠળ રહે અને નાગરિક ઉડાનોને કોઈ ખતરો ન રહે.

લોકડાઉન સંપૂર્ણપણે કામચલાઉ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકડાઉન સંપૂર્ણપણે કામચલાઉ છે અને પરિસ્થિતિની સમીક્ષાના આધારે તેને લંબાવી અથવા સમાપ્ત કરી શકાય છે. બધી એરલાઇન્સ અને ચાર્ટર ઓપરેટરોને વૈકલ્પિક રૂટ અને એરપોર્ટ દ્વારા તેમની ફ્લાઇટ્સનું આયોજન કરવા અને મુસાફરોને અગાઉથી માહિતી આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય સ્થળોએ જ્યાં ડ્રોન પ્રવૃત્તિઓ જોવા મળી છે તેમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નાગરોટા, જમ્મુ, ફાઝિલ્કા, ફિરોઝપુર, પઠાણકોટ, જેસલમેર, બાડમેર, ભુજ, લાલગઢ જટ્ટા અને કુવારબેટનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : 'શ્રીનગરથી નલિયા સુધી પાકિસ્તાને...', દુશ્મન દેશની ઘૂસણખોરીને લઇ ભારતીય સેનાનો ચોંકાવનારો ખુલાસો

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારોમાં સેનાની દેખરેખ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. આ નિર્ણયથી હજારો મુસાફરોની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. પરંતુ નિષ્ણાતો માને છે કે, વર્તમાન લશ્કરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું અત્યંત સાવધાની સાથે અને રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવ્યું છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશની સુરક્ષા સર્વોપરી છે અને કોઈપણ પ્રકારની ઘૂસણખોરી કે આતંકવાદી પ્રવૃત્તિનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor airport closed India-Pakistan War
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ