બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત સજ્જ, રાજ્ય સરકાર અને તંત્રએ લીધા 10 મોટા નિર્ણય
Last Updated: 05:39 PM, 9 May 2025
Operation Sindoor : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે અને કેન્દ્ર સરકાર એક પછી એક બેઠક કરી રહી છે તો વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્ય સરકાર પાસે વિગતો મેળવી હતી. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ સ્થિતિને ધ્યાને રાખીને કેટલાક નિર્ણયો લીધા છે.
ADVERTISEMENT
સરકારી કર્મચારીઓની રજા રદ
હાલ સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપી છે. આરોગ્ય, પોલીસ, મહેસુલ બાદ હવે શિક્ષકોની રજા રદ કરવામાં આવી છે. તો ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે..એવામાં દરિયા કિનારા પર પાકિસ્તાન દ્વારા કોઇ છમકલુ થાય તો તેને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પોરબંદરના માછીમારોને બંદરે પરત ફરવા સૂચના.
ADVERTISEMENT
ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાવવા પર બેન
આ ઉપરાંત ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેતા આગામી 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. અને આ તારીખ દરમિયાન કોઈપણને ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ત્રણ અધિકારીઓની નિયુક્તિ
એટલું જ નહીં સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકારી ક્લાસ-1ના વધુ 3 અધિકારીઓને SEOCની જવાબદારી સોંપાઈ છે. અગાઉ 3 IAS અધિકારીઓને પણ SEOCની જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, સરકાર વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખી છે.
વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર પર એલર્ટ પર
આ સિવાય પરિસ્થિતિ કાબૂ બહાર ન જતી રહે તેમજ નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તૈયારીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્રને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે જેમાં સુરતથી લઈને બનાસકાંઠા સુધી અનેક શહેરોમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
પોલીસની સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કેટલાક ખોટા સમાચાર તેમજ વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેના કારણે સ્થિતિ તંગ પણ બની શકે છે. આજે વહેલી સવારે જામનગરમાં ડ્રોન તોડી પડાયાના અહેવાલ વહેતા થયા હતા જે સંપૂર્ણપણે ખોટા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસને પણ સતર્ક રાખવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખી રહી છે.
જો કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર કોઈ પણ ખોટી, ભરમાવનારી કે દેશવિરોધી માહિતી પોસ્ટ કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. તમામ જિલ્લા પોલીસ મથકો અને ઇલેકટ્રોનિક સર્વેલન્સ ટીમો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વોચ રાખી રહી છે.
દ્વારકા જગતમંદિરે જડબેસલાક સુરક્ષા
તો બીજી તરફ રાજ્યના પાકિસ્તાન સાથે જોડાયેલા વિસ્તારોમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દ્વારકા ખાતે દરિયાઈ સુરક્ષાને લોખંડી કરી દેવામાં આવી છે ત્યારે દ્વારકાધીશ જગત મંદિરની જડબેસલાક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
વધુ વાંચો : મોહાલીમાં આજે રાત્રે 8 વાગ્યે બ્લેકઆઉટ રહેશે, સાઇનબોર્ડ પણ બંધ કરવાના નિર્દેશ
આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના
પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિને ધ્યાન રાખીને રાજ્ય સરકારના મંત્રી પણ એક્શન મોડમાં કામ કરી રહ્યાં છે અને એક પછી એક બેઠક કરી રહ્યાં છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં દરેક જિલ્લાઓના આરોગ્ય અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી, જેમાં ઇમરજન્સીમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના અપાઇ છે.
સઘન ચેકિંગ અને સતત પેટ્રોલિંગ
હાલ રાજકોટ શહેરના રેલવે સ્ટેશન પર ઓપરેશન સિંદૂર બાદ ચેકિંગ હાથ ધરાયું છે તેમજ પ્લેટફોર્મ પર આવતી તમામ ટ્રેનમાં તપાસ થઈ રહી છે. શંકાસ્પદ મુસાફરોની બેગનું પણ ચેકિંગ થઈ રહ્યું છે. તો સુરત પોલીસ કમિશનર દ્વારા દરિયાઈ કિનારે સુરક્ષામાં વધારો કરવામાં કરીને બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.