રાજ્યમાં અનેક હોસ્પિટલો અને દવાખાનાઓના વિવાદ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં છેલ્લા 4 દિવસથી ઓપરેશન નથી કરવામાં આવી રહ્યા, કારણ કે...
વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં 4 દિવસથી ઓપરેશન થિયેટર બંધ હાલતમાં છે. ઓપરેશન થિયેટરના ACમાં ખામી સર્જાતા છેલ્લા બે દિવસથી ઓપરેશન બંધ રખાયા છે. સેન્ટ્રલ AC કુલિંગ સિસ્ટમમાં ખામી સર્જાઇ છે. જેના કારણે રોજના 12થી વધુ ઓપરેશન કેન્સલ રાખવા પડ્યા છે. માત્ર ઇમરજન્સી ઓપરેશન જ કરવામાં આવી રહ્યા છે.
ત્યારે છેલ્લા 4 દિવસથી એસી બંધ હાલતમાં છે છતાં તેને રિપેર કરવાની તસ્દી પણ નથી લેવામાં આવી રહી. ત્યારે સવાલ એ છે કે, તંત્ર દ્વારા કેમ આટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે ? દર્દીઓના દુઃખને કેમ નથી સમજતુ તંત્ર ? 4-4 દિવસથી ઓપરેશન થિયેટર બંધ છે છતા પણ તંત્ર કેમ હજુ નિદ્રાધિન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે તંત્રની બેદરકારીએ કોઇ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? જોકે ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. પરંતુ આટલા દિવસો સુધી ઓપરેશન થિયેટર બંધ છે છતા તંત્ર કેમ નિંદ્રામાં છે.