જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPF કાફલા પર થયેલ આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એક એર સ્ટ્રાઇક કરી હતી. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. આ ઓપરેશનનું કોડનામ- ઓપરેશન બંદર આપવામાં આવ્યું હતું.
આ કારણે રાખવામાં આવ્યું ઓપરેશન બંદર
માનવામાં આવી રહ્યું છે કે, હનુમાનના નામ પર આ ઓપરેશનનું નામ બંદર રાખવામાં આવ્યું હતું. જે રીતે હનુમાને રાવણની લંકામાં ઘુસીને લંકાદહન કર્યું તે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને આતંકી ઠેકાણાઓ ઉપર બોમ્બ ફેંક્યા હતા.
રક્ષાસૂત્રોના જણાવ્યા મુજબ, આ વર્ષે ફેબ્રુઆરીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એકદમ ગોપનીય રીતે એયર સ્ટ્રાઇક કરી હતી. આ ઓપરેશનની ગોપનીયતા જાળવી રાખવા માટે વાયુસેનાઓ તેનું નામ ઓપરેશન બંદર આપ્યું હતું.
ઓપરેશન બંદર રખાયું એકદમ ગોપનીય
ઓપરેશન બંદર ખુબ જ ગોપનીયતા સાથે પાર પાડવામાં આવેલ ઓપરેશન હતું જેની જાણકારી કોઇનેપણ આપવામાં આવી નહોંતી જ્યાં સુધી ભારતીય વાયુસેનાના મિરાજ વિમાન પોતાના મિશનને અંજામ આપીને ભારતીય ક્ષેત્રેમાં પરત ના ફરે. જ્યારે પાકિસ્તાનને આ બાબતની જાણકારી મળી ત્યારે ગિન્નાયું હતું અને ત્યારબાદ તેઓએ ભારતીય ક્ષેત્રોમાં હવાઇ હુમલો કર્યો હતો. જેનો ભારતીય વાયુસેનાઓ જડબાતોડ જવાબ આપ્યો હતો.
રાષ્ટ્રપતિએ સંબોધનમાં કર્યો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતી વખતે બાલાકોટ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ભારતે પહેલા સર્જીકલ સ્ટ્રાઇક તથા ત્યારબાદ પુલવામામાં આતંકી હુમલા બાદ એર સ્ટ્રાઇક કરીને પોતાના ઇરાદા તથા ક્ષમતાનો પરિચય આપ્યો હતો, સાથે જ રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવ પગલા લેવા પડે તો તે ઉઠાવશે.