સર છોટુરામ જયંતિ પર ઓપી ચૌટાલાએ કહ્યું કે ખેડૂત આંદોલનના કારણે દેશમાં જે માહોલ બન્યો છે તેના કારણે સરકાર બદલવા 5 વર્ષની રાહ નહી જોવી પડે.
ખેડૂત આંદોલન પર ચૌટાલાનું મોટુ નિવેદન
ભાજપની સરકાર પડી જશે
ખેડૂત આંદોલન કરશે દેશની કાયાપલટ
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ઇનલો સુપ્રિમો ઓપી ચૌટાલા મંગળવારે જીંદ પહોંચી ગયા હતા. તે દરમિયાન તેમણે કેન્દ્ર અને હરિયાણાની સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભાજપની સરકારનુ પતન થઇ જશે અને દેશની અંદર મધ્યાવધિ ચૂંટણી થશે.
આ આંદોલનની અસર સમગ્ર દેશની રાજનીતિ પર થશે અને માત્ર હરિયાણા જ નહી દેશ માટે ખેડૂત આંદોલન સારા સમાચાર લઇને આવશે. કારણકે જ્યારે અંગ્રેજો વિરુદ્ધ આંદોલન ચલાવવામાં આવ્યુ ત્યારે 100 વર્ષથી પણ વધારે ચાલ્યુ હતુ પરંતુ તેના સુખદ પરિણામ આવ્યા હતા.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાએ કહ્યું કે ખેડૂતોએ બધી જ સુખ અને સુવિધા છોડીને સંઘર્ષની જે રાહ પકડી છે તેનાથી દેશનું વાતાવરણ બદલાઇ ગયુ છે. આંદોલનના કારણે પંજાબ અને હરિયાણાની કટુતા પ્રેમમાં બદલાઇ ગઇ છે. જે લોકો જાત પાતનું ઝેર ફેલાવતા હતા તે લોકોને આંદોલનના માધ્યમથી તમાચો મારી દેવામાં આવ્યો છે. ખેડૂત જાત પાત અને ધર્મની દિવાલો તોડીને સરકારના સુપડા સાફ કરવાનો નિર્ણય લઇ રહ્યાં છે. સત્તા પરિવર્તન જરૂરી છે અને આ સમયે જે દેશનો માહોલ છે તે હિસાબે સરકારને પલટવા માટે 5 વર્ષની જરૂર નહી પડે.
5 વર્ષ પહેલા જ યોજાશે ચૂંટણી
તેમણે કહ્યું કે, ખેડૂતોની હિંમત તેમજ હોંસલાનું પરિણામ જોવા મળશે અને દેશમાં 5 વર્ષ પહેલા જ ચૂંટણી યોજાશે. જનતાના નિર્ણય અને ઇચ્છા અનુસાર સરકાર બનશે. સરકાર બનાવવાનો નિર્ણય એવો હોવો જોઇએ કે ભવિષ્યમાં કોઇ તકલીફ ન થાય.
સંઘર્ષ આપણા લોહીમાં છે
ચૌટાલાએ કહ્યું કે દીનબંધુ સર છોટુરામની જયંતિ પર ખેડીતોને સંબોધિત કરવુ તે મારુ સૌભાગ્ય છે. સર છોટુરામ, ચૌધરી દેવીલાલ તેમજ ચરણસિંહના નક્શે કદમ પર ચાલો. તેણે કહ્યું કે અમારુ કોઇ વ્યક્તિગત, રાજનૈતિક તેમજ આર્થિક સ્વાર્થ નથી અને સંઘર્ષ તો આપણા લોહીમાં છે. વોટના માધ્યમથી જ આવી સરકારોનું પતન કરી શકાય છે.