ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોનો લઈને ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. જેમા હવે ધાર્મિક સ્થળ પર જતી ટ્રેનોમાં માત્ર શાકાહારી ભોજન જ આપવામાં આવશે. જે ભોજનને લઈને મુસાફરોને જુદા જુદા વિકલ્પ પણ અપાશે
ધાર્મિક સ્થળોએ જતી ટ્રેનોમાં હવે માત્ર શાકાહારી ભોજન મળશે.
શ્રદ્ધાળુને લસણ ડુંગળી વગરના આહારનો પણ વિકલ્પ અપાશે
ટિકિટ બુકિંગ સમયેજ યાત્રાળુંને ભોજનનો વિકલ્પ આપવામાં આવશે
જો તમે આવનારા દિવસોમાં કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રેલ્વે તરફથી તમને ટ્રેનમાં તમને માત્ર શાકાહારી ભોજનજ મળશે. આઈઆરસીટીસી દ્વારા સાત્વિક ફાંઉડેશન સાથે કરાર કરવામાં આવ્યો છે. સાત્વિક કાંઉસિલ ઓફ ઈન્ડિયાના ફાંઉડર આશીષ બૈનર્જીએ મીડિયા સાથે વાતચીત કરતા આ સમગ્ર મામલે માહિતી આપી છે.
ટિકિટ બુંકિગ કરતા સમયે વિકલ્પ અપાશે
આશીષ બેનર્જીએ કહ્યું જે પણ યાત્રી ધાર્મિક સ્થળે જશે તેમને શાકાહારી ભોજન આપવામાં આવશે જેના માટે તેમણે ટિકિટ બુકિંગ કરતી વખતે વિકલ્પ પસંદ કરવો પડશે. શાકાહારી ભોજનમાં પણ લસણ ડુંગળી સાથે અને લસણ ડુંગળી વગરના ભોજનનો વિકલ્પ આપવામાં આવશે. સાથેજ શાકાહારી ભોજનને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
માંસાહારી ભોજન ટ્રેનમાં નહી મળે
વધુમાં તેમણે કહ્યું કે જો કોઈ યાત્રી તીર્થ યાત્રા કરવા જઈ રહ્યો છે. તો તેના માટે સાત્વિક ભોજન પણ વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ જે ટ્રેનો ધાર્મિક સ્થળોએ જાય છે તે ટ્રેનોમાં માસાહારી ભોજન હવે નહી મળે કારણકે તેના પાછળનું કારણ છે કે ટ્રેનમાં માસાહારી ભોજન જ કોઈ વ્યક્તિ કરતું હોય ત્યારે યાત્રીઓ શાકાહારી ભોજન પણ નથી કરી શકતા. જેને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુસાફરોને હોટલમાં સ્ટે પણ આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે પણ યાત્રીઓ ધાર્મિક સ્થળે જાય છે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમા તેમને મુસાફરી બાદ હોટલમાં સ્ટે પણ આપવામાં આવશે. જે હોટલમાં માત્ર શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈને પાયલટ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.