કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા સમય પહેલા જ પૂર્ણ થવા પામી છે. આ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતના અરવલ્લીનાં ભીલોડાના ટોરડા ગામેથી ધ્વજવંદન કરી યાત્રાનો પ્રારંભ થયો હતો.
કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રાનો પ્રારંભ
જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર
"હાથ સે હાથ જોડોમાં પેપરલીક મોટો મુદ્દો"
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા થોડા સમય પહેલા જ પૂર્ણ થવા પામી છે. જ્યાં ભારત જોડો યાત્રા નથી ગઈ ત્યાં હાથ સે હાથ જોડો યાત્રા જશે. આ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતના અરવલ્લીનાં ભીલોડાના ટોરડા ગામેથી ધ્વજવંદન કરી યાત્રાનો પ્રારંભ થયો હતો. ત્યારે બીજા દિવસે યાત્રાનો શામળાજી ખાતેથી પ્રારંભ થશે. આ યાત્રાને કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વિધાનસભામાં ડંકાની ચોટ પર જવાબ માંગીશ
તાજેતરમાં જ ફૂટેલ જુનિયર ક્લાર્કનાં પેપર લીંક મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા મોટો આક્ષેપ કર્યો છે. જેમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપપ પેપર ફોડે છે. તેમજ ભાજપનો હશે એને જ નોકરી મળશે. ત્યારે હાથથી હાથ જોડો યાત્રામાં પેપર લીંક મોટો મુદ્દો છે. ગુજરાતભરના ગરીબ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ લડાઈ લડશે. વધુમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે વિધાનસભામાં ડંકાની ચોટ પર જવાબ માંગીશ તેમજ વિપક્ષના રોલમાં કોંગ્રેસ ક્યાંય કચાશ નહિ રાખે. અમદાવાદમાં 7 તારીખથી હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થશે
અમદાવાદ શહેરમાં કોંગ્રેસ સમિતિ ‘હાથ સે હાથ જોડો’ યાત્રા શરુ કરશે જેને લઈ અમદાવાદ કાર્યાલય ખાતે કોંગ્રેસે બેઠક યોજી છે જેમાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો હાજર રહ્યાં છે આ અંગે કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 7 તારીખથી હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થશે અને જે ગાંધી આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી નીકળશે. બિમલ શાહે કહ્યું કે, અમદાવાદ શહેરના કોંગ્રેસના કાર્યકરો યાત્રામાં જોડાશે. ભારત જોડો યાત્રાની તર્જ પર 'હાથ સે હાથ જોડો યાત્રા'ની શરૂઆત થશે.
કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહનું નિવેદન
પેપરલીક મામલે કહ્યું કે, વિદ્યાર્થીઓ મહેનત કરી પરીક્ષા આપવા જાય છે અને ત્યાં જાય છે એટેલે ખબર પડે છે કે, પેપરફૂટી ગયું છે. પેપરલીકની આ ઘટના પહેલી નથી આવુ અનેક વાર થયું છે. તેમેણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, તેમની સંસ્થાઓ ક્યાંકને ક્યાંક ઈનવોલ છે. તેમણે કહ્યું એમની જમીની સંસ્થાઓને તક આપવાનું કામ થયું હોય તેવું લાગી રહ્યું છે.