બનાસકાંઠામાં સરહદી વિસ્તાર માં આવેલા વાવ તાલુકાના બે ગામ વચ્ચે માત્ર દિવાલ છે.જોકે આ દિવાલ વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી.
એક દીવાલ,બે ગામ -બંને ગામમાં બધી જ સગવડ
બહારથી આવતા લોકોને 'ભૂલ ભૂલૈયા'નો અહેસાસ
વાવ તાલુકાનું અનોખું ગામ ભાટવાર-એક ઈતિહાસ
રાજ્યના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકામાં બે ગામ વચ્ચે એક દિવાલ આવેલી છે. જો કે બે ગામ વચ્ચે કોઈ અંતર નથી બંને ગામની પંચાયત સ્કુલ સહિત તમામ વ્યવસ્થા અલગ છે.પરંતુ ગામના ઘર એક બીજા સાથે જોડાયેલા છે જેના કારણે બહારથી આવતા વ્યક્તિઓ ભૂલા પડી જાય છે.ત્યારે જોઈએ આં અનોખા ગામનો અનોખો ઇતિહાસ.
રજવાડા સમયમાં ઉભી કરાઈ દીવાલ
બનાસકાંઠામાં સરહદી વિસ્તાર માં આવેલા વાવ તાલુકાના બે ગામ વચ્ચે માત્ર દિવાલ છે.જોકે આ દિવાલ વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી.આ ગામના ઇતિહાસ ની વાત કરીએ તો આઝાદી પહેલા અહીંયા રાજાશાહી રાજ હતું એટલે કે રજવાડા હતા.ત્યારે તે વખતે વાવ સ્ટેટ કહેવાતું જેમાં સ્ટેટ માં બધા ગામડાઓનો સમાવેશ થતો.ત્યારે વાવ નું ભાટવર ગામ વાવ સ્ટેટ માં આવતું હતું. તે વખતે ભાટવર ગામનો કરવેરો વાવ સ્ટેટ માં ભરાતો.હતો.જોકે ભાટવર વાસનો કર દિયોદર સ્ટેટમાં ભરવામાં આવતો હતો.ત્યારે આં ગામ બે રજવાડા વચ્ચે વહેંચાતા ગામમાં એક દિવાલ બનાવવામાં આવી જે દિવાલ આટલા વર્ષો સુધી પણ હજુ જોવા મળી રહી છે. પરંતુ બંને ગામ વચ્ચે કોઈ અંતર નથી બંને ગામના ઘર એકબીજા સાથે જોડાયેલા છે. જેના કારણે બહારથી આવેલા લોકો આં ગામમાં ભૂલા પડી જાય છે.
મજબૂતી એવી, ટકી વરસોના વરસ- ભાઈચારો
ભાટવર ગામ અને ભાટવર વાસ આઝાદી વખત થી આં રીતે જોવા મળી રહ્યા છે.પરંતુ આ બંને ગામની ગ્રામ પંચાયત. સ્કુલ.ડેરી સહિત તાલુકા પંચાયત સીટ પણ અલગ છે.. ભાટવર ગામ 3500 જેટલી વસ્તી ધરાવતું ગામ છે.જ્યારે ભાટવર વાસ 2500 જેટલી વસ્તી ધરાવતું ગામ છે..પ્રજાપતિ. દેસાઈ.દલિત સમાજ સહિત અન્ય સમાજ ના લોકો આં બંને ગામ માં વસવાટ કરી રહ્યા છે.આં બંને ગામ માં લોકો પશુપાલન સહિત ખેતી સાથે જોડાયેલા છે.ત્યારે બે ગામ વચ્ચે માત્ર એક દિવાલ આવેલી છે.પરંતુ ગામ માં ઘર એ રીતે છે કે બહાર ગામ થી આવતા વ્યક્તિઓ ભૂલા પણ પડી શકે છે.